મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા પ્રખ્યાત યશવાડી મારુતિ મંદિર પરિસરમાં શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. મંદિરની સામે આવેલો સભા મંડપ અચાનક ધરાશાયી થઈ જતાં પરિસરમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાના સમયે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હોવાથી અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે.
અનેક શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી













