- પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસ મામલે કોલકાતા હાઈકોર્ટની ફટકાર
- સંદેશખાલી કેસમાં જે પણ થયું તે સંપૂર્ણપણે શરમજનક: HC
- "નાગરિકની સુરક્ષા જોખમમાં છે તો તેની 100 ટકા જવાબદારી સત્તાધારી પક્ષની"
પશ્ચિમ બંગાળના સંદેશખાલી કેસ મામલે કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે, સંદેશખાલી કેસમાં જે પણ થયું તે સંપૂર્ણપણે શરમજનક છે. ત્યાં જે કંઈ થયું તેની નૈતિક જવાબદારી જિલ્લા વહીવટીતંત્ર અને શાસક પક્ષની છે.
સંદેશખાલી કેસમાં જે પણ થયું તે સંપૂર્ણપણે શરમજનક: HC
પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં મહિલાઓ પર અત્યાચારના મામલે સુનાવણી કરતી વખતે કોલકાતા હાઈકોર્ટે ગુરુવારે મમતા સરકારને આકરી ઝાટકણી કાઢી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો કોઈ નાગરિકની સુરક્ષાને ખતરો છે તો તેની 100 ટકા જવાબદારી સત્તાધારી પક્ષની છે. મળતી માહિતી મુજબ, સંદેશખાલી કેસની સુનાવણી દરમિયાન કોલકત્તા હાઈકોર્ટે કહ્યું કે જો એક ટકા પણ સાચું હોય તો તે સંપૂર્ણપણે શરમજનક છે. ત્યાં જે કંઈ થયું તેની નૈતિક જવાબદારી જિલ્લા વહીવટીતંત્ર અને શાસક પક્ષની છે. કોર્ટે બંગાળ સરકારને વધુમાં કહ્યું કે, જો કોઈ નાગરિકની સુરક્ષા જોખમમાં છે તો તેની 100 ટકા જવાબદારી સત્તાધારી પક્ષની છે.
સંદેશખાલી સંબંધિત જાહેર હિતના કેસની સુનાવણી
કોલકાતા હાઈકોર્ટ સંદેશખાલી સંબંધિત જાહેર હિતના કેસની સુનાવણી કરી રહી હતી. ચીફ જસ્ટિસ શિવગ્નનમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની ડિવિઝન બેન્ચે આ મામલે દાખલ કરાયેલી કુલ 5 PILની સુનાવણી કરી હતી. તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટિસે શાહજહાંના વકીલને કડક સૂરમાં સવાલો પણ કર્યા. તેણે કહ્યું, તમે આરોપી વ્યક્તિ વતી પ્રશ્નો પૂછી રહ્યા છો. પહેલા તમારી આસપાસના પડછાયાઓથી છૂટકારો મેળવો. પછી બીજા વિશે વાત કરીએ.
તમને જણાવી દઈએ કે 2 મહિના પહેલા પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં સ્થિત સંદેશખાલી વિસ્તારની ઘણી મહિલાઓએ તત્કાલિન તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખ અને અન્ય લોકો પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ પછી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા. ભાજપ અને કોંગ્રેસ ઘણા મહિનાઓ સુધી TMC પર પ્રહારો કરતા રહ્યા. આ પછી શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી હતી. શેખને બાદમાં TMCમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.