દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ગઇકાલે જ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. ત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવાને લઇને આરજેડી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું કે અમારી પાર્ટીએ નિર્ણય લીધો નથી કે દિલ્હીમાં ચૂંટણી લડીશું કે નહી.
વિધાનસભાની ચૂંટણી લડશે RJD?
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકના તૂટવાના સવાલ પર તેજસ્વીએ કહ્યું કે એ તો પહેલાથી જ નક્કી હતું કે ઈન્ડિયા ગઠબંધન લોકસભા માટે છે. જો બિહારની વાત કરીએ તો અહીં અમે શરૂઆતથી જ સાથે હતા.
'બિહાર નવો બદલાવ ઇચ્છે છે'
બિહાર વિધાનસભા ચૂંટણી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે આ વખતે સરકાર બનાવવાનું લક્ષ્ય છે. અમે તે વચ્ચે જ હાંસલ કરી લીધું હતું. અમારી સાથે અન્યાય થયો અને 6-7 સીટોના કારણે અમે સરકાર બનાવી શક્યા નહીં. . તેમણે વધુમાં કહ્યું કે બિહાર તે જ ક્ષણથી નવો બદલાવ ઈચ્છે છે. જનતા સંપૂર્ણપણે ઇચ્છે છે કે એક નવું તદ્દન નવું બીજ વાવવામાં આવે.
અખિલેશે શું કહ્યું?
અખિલેશ યાદવે કહ્યુ કે અમે દિલ્હીના લોકો સાથે ભેદભાવ થતો જોયો છે. હું અરવિંદ કેજરીવાલ જીને અભિનંદન આપું છું કે આ બધું હોવા છતાં પણ તેમની હિંમત ઓછી નથી થઈ. મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીની માતાઓ અને બહેનો તમને તક આપશે. હું તમને ખાતરી આપું છું કે સમાજવાદી પાર્ટી તમારી સાથે સંપૂર્ણ જવાબદારી સાથે ઉભી છે, જેટલું AAP સરકારે કામ કર્યું છે તેટલુ અમે અનુભવીએ છીએ
SP ચીફે વધુમાં કહ્યું કે AAPને ફરી એકવાર અહીં કામ કરવાની તક મળવી જોઈએ. દિલ્હી સરકારે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણા ફેરફારો કર્યા છે. જો આ રીતે તેને તમારી સુરક્ષાની જવાબદારી મળી જાય તો તમે સુરક્ષિત રહેશો.