- અમાનતુલ્લા વિરુદ્ધ EDની અરજી પર સુનાવણી કરશે કોર્ટ
- 26 ફેબ્રુઆરી 2023ના રોજ કરાઈ હતી સિસોદિયાની ધરપકડ
- રાઉઝ એવન્યુ કોર્ટ આજે અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં બંધ છે. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી છે, જેમાં રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. છેલ્લી સુનાવણીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આરોપીની કોર્ટમાં હાજરી દરમિયાન દલીલ થઈ હતી. કોર્ટે ED પાસેથી જવાબ માંગ્યો છે કે દરેક આરોપીએ દસ્તાવેજોની તપાસ કરવામાં અત્યાર સુધી કેટલો સમય લીધો છે. વાસ્તવમાં, સીબીઆઈએ મનીષ સિસોદિયાની કૌભાંડમાં કથિત ભૂમિકા બદલ 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરી હતી.
CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતી વખતે અનિયમિતતા આચરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓએ આક્ષેપ કર્યો હતો કે લાયસન્સ ધારકોને અનુચિત તરફેણ કરવામાં આવી હતી, લાયસન્સ ફી માફ કરવામાં આવી હતી અથવા ઘટાડવામાં આવી હતી અને સક્ષમ અધિકારીની મંજૂરી વિના લાઇસન્સ લંબાવવામાં આવ્યા હતા. સિસોદિયાએ ગયા વર્ષે 28 ફેબ્રુઆરીએ દિલ્હીના ઉપમુખ્યમંત્રી પદેથી દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી.













