- મનીષ સિસોદિયાને રાહત નહી
- સીબીઆઇ કેસમાં 15 જુલાઇ સુધી ન્યાયિક કસ્ટડીમાં
- 26 ફેબ્રુઆરીથી છે ન્યાયિક કસ્ટડીમાં
દિલ્હી લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ આપ નેતા મનીષ સિસોદિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 15 જુલાઇ સુધી
લંબાવી દીધી છે. CBI કેસમાં તેમની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે.
કોર્ટમાં કરાયા હતા રજૂ
મહત્વનું છે કે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી આજે એટલે કે 6ઠ્ઠી જુલાઈએ પૂરી થતી હતી. જેથી તેઓને બાદ સીબીઆઈએ કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારબાદ કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 15મી જુલાઈ સુધી લંબાવી છે.
સીબીઆઇએ દાખલ કરી હતી ચાર્જશીટ
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રીજી પૂરક ચાર્જશીટની સંજ્ઞાન લઈને રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટને સંજ્ઞાન લેવાના મામલામાં રાઉઝ એવન્યુ કોર્ટ 8 જુલાઈએ સુનાવણી કરશે. સીબીઆઈએ ત્રીજી પૂરક ચાર્જશીટમાં બીઆરએસ નેતા કે કવિતાને આરોપી બનાવ્યા છે.
CBIની ધરપકડ બાદ મનીષ સિસોદિયા ગયા વર્ષે 26 ફેબ્રુઆરીથી કસ્ટડીમાં છે. આ પછી EDએ તેઓની ધરપકડ કરી હતી.