• PM મોદી પર 6 વર્ષના પ્રતિબંધની માંગ કરતી અરજી HCએ ફગાવી
  • આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યા હોવાનો PM પર હતો આરોપ
  • HCએ કહ્યું- ચૂંટણી પંચને આદેશ ન આપી શકે

આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજીદારે PM મોદી પર ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરતી વખતે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. એડવોકેટ આનંદ એસ જોંધલે દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વડાપ્રધાનને 6 વર્ષના સમયગાળા માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી.

જસ્ટિસ સચિન દત્તાની સિંગલ બેન્ચે કહ્યું કે અરજદારે 'પહેલેથી જ સ્વીકાર્યું છે કે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન થયું છે. સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને કોઈ પણ ફરિયાદ પર વિશેષ વલણ અપનાવવા માટે નિર્દેશ જારી કરી શકે નહીં. કોર્ટે કહ્યું કે અરજદાર પહેલાથી જ ચૂંટણી પંચનો સંપર્ક કરી ચૂક્યો છે અને પંચ તેની ફરિયાદ પર સ્વતંત્ર રીતે વિચાર કરી શકે છે. ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડવોકેટ સિદ્ધાંત કુમાર દ્વારા આપવામાં આવેલી દલીલમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદની નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગે જરૂરી આદેશો પસાર કરવામાં આવશે.

અરજદારે હાઈકોર્ટમાં શું દલીલ કરી?

એડવોકેટ આનંદ એસ જોંધલેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીલીભીતમાં જાહેર સભા દરમિયાન તેમના ભાષણમાં કહ્યું હતું કે તેમને રામ મંદિરનું નિર્માણ કરાવ્યું. પીએમએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે કરતારપુર સાહિબ કોરિડોરનો વિકાસ કરાવ્યો અને લંગરમાં વપરાતી સામગ્રી પરથી GST દૂર કરાવ્યો. વડાપ્રધાને પોતાના ભાષણમાં પવિત્ર ગ્રંથ સાહેબને અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે ભારતમાં લાવવાની વાત પણ કરી હતી. આમ, નરેન્દ્ર મોદીએ નિયમ સામાન્ય આચાર-1(1) અને (3) હેઠળ આપવામાં આવેલી સૂચનાઓના ક્લોઝ-III માં ઉલ્લેખિત આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

અરજદારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ પીલીભીતમાં તેમના ભાષણ દરમિયાન સ્પષ્ટપણે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને આ રીતે ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ ગુનો કર્યો હતો. આના આધારે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ ગેરલાયક ઠરાવવાની જોગવાઈ છે. આનંદ એસ જોંધલેએ હાઈકોર્ટને PM મોદી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ એફઆઈઆર નોંધવા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવા માટે ECIને નિર્દેશ આપવા જણાવ્યું છે. તાત્કાલિક અસરથી ઓર્ડર કરવાની માંગ કરી હતી.

  • Follow us on: