- જુલાઈમાં 7.44 ટકા સીપીઆઈ નોંધાયું
- 4 ટકા મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત
- કર્મચારીઓ પર વધારાની અસર જોવા મળશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને મોટા સમાચાર છે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ હવે ડીએની ફાઇલ કેન્દ્રીય કેબિનેટ પાસે પહોંચી છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે કેબિનેટ બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ ફાઈલને હવે ગમે ત્યારે મંજૂરી મળી શકે છે. બુધવારે મળનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થાને મંજૂરી મળે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 4 ટકા મોંઘવારી ભથ્થું/મોંઘવારી રાહત મેળવવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
વધારાની અસર જોવા મળશે
સૂત્રોનું કહેવું છે કે, દિવાળી પહેલા કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગારમાં ડીએ/ડીઆરના દરમાં વધારાની અસર જોવા મળશે. ગયા વર્ષે, કેન્દ્રીય કેબિનેટે 28 સપ્ટેમ્બરે ડીએ દરોમાં ચાર ટકા વધારાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે 24મી ઓક્ટોબરે દિવાળી હોવાથી સરકારે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ડીએ/ડીઆરની જાહેરાત કરી હતી. આ વખતે દશેરા 24મી ઓક્ટોબરે છે અને દિવાળી 12મી નવેમ્બરે છે. આવી સ્થિતિમાં કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને ગમે ત્યારે મંજૂરી મળી શકે છે.
વધારાની ભેટ મળી રહેશે
લગભગ એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને તારીખ 1લી જુલાઈથી 4 ટકા ડીએ વધારાની ભેટ મળશે. તાજેતરમાં, નેશનલ કાઉન્સિલ (JCM) સ્ટાફ સાઇડ મીટિંગમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF)ના જનરલ સેક્રેટરી સી. શ્રીકુમારના જણાવ્યા અનુસાર, આ વખતે કર્મચારીઓનો DA 46 ટકા હશે. કેન્દ્ર સરકાર ડીએમાં ચાર ટકાનો વધારો કરશે. જાન્યુઆરી 2024 માં, જ્યારે ડીએમાં ચાર ટકાનો (સંભવિત) વધારો થશે. મોંઘવારી ભથ્થું 50% થશે, ત્યારે કેન્દ્ર સરકારે નવા પગાર પંચની જાહેરાત કરવી પડશે. કેન્દ્રીય કેબિનેટે ગયા વર્ષે 28 સપ્ટેમ્બરે ડીએ દરોમાં ચાર ટકા વધારાની જાહેરાત કરી હતી.
42 ટકાના દરે ભથ્થુ અપાઈ રહ્યું છે
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પહેલા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ભેટ મળી હતી. તે ભથ્થું 1 જુલાઈ, 2023 થી બહાર પાડવામાં આવ્યું હતું. તે સમયે 34 ટકાના દરે મળતું મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ ગયું હતું. તે પછી, જાન્યુઆરી 2023 થી, ઉક્ત ભથ્થામાં ફરીથી ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો. હાલમાં 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે.