- જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષાને લઇ બેઠકનો ધમધમાટ
- ઉચ્ચ અધિકારીઓ સાથે અમિત શાહ કરશે બેઠક
- 16 જૂને ગૃહમંત્રાલયમાં યોજાશે સઘન બેઠક
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકી હુમલાના કારણે તણાવ છે. છેલ્લા પાંચ દિવસમાં ચાર એન્કાઉન્ટર બાદ કેન્દ્ર સરકાર અહીંની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ ઘાટીની સ્થિતિ અંગે અપડેટ લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 જૂને ફરી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે.
કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં સતત આતંકી હુમલા જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપરાંત અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. આ દરમિયાન અમિત શાહે ઘાટીની સ્થિતિ અંગે અપડેટ્સ પણ લીધા હતા અને આતંકવાદને પહોંચી વળવા માટેના ઉપાયો અંગે પણ ચર્ચા કરી હતી.













