- વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીનું 45 કલાકનું ધ્યાન પૂર્ણ
- ધ્યાન પૂર્ણ કર્યા બાદ PM મોદીએ કવિ તિરુવલ્લરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ ધ્યાન મગ્ન થયા હતા
કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીનું 45 કલાકનું ધ્યાન પૂર્ણ કર્યું છે. ધ્યાન પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ નજીકમાં સ્થિત કવિ તિરુવલ્લરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ગુરુવારે બરાબર 3 વાગ્યે તેઓ ધ્યાન સાધના પૂર્ણ કરી છે.
મળતી માહિતી મુજબ, કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ચાલી રહેલ 45 કલાકનું ધ્યાન પૂર્ણ કર્યું. ધ્યાન પૂર્ણ કર્યા બાદ પીએમ મોદીએ નજીકમાં સ્થિત કવિ તિરુવલ્લરને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. PM નરેન્દ્ર મોદી ગુરુવારે ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા હતા. અહીંના ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ફેરી દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા અને ધ્યાન કરવા લાગ્યા.













