• 12 જ્યોર્તિલિંગ પૈકી કૈદારનાથ મંદિર પરિસરમાં 50 મીટરની ત્રિજ્યા પર રિલ્સ બનાવવા પર પ્રતિબંઘ છે
  • કેદારનાથ મંદિરમાં વર્ષે લાખો ભક્તો દેશ-દુનિયામાંથી દર્શને આવતા હોય છે
  • રિલ્સ બનાવતા 270 લોકો અને તંબાકુ ખાતા 120 લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ


વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ મંદિરના 50 મીટરની ત્રિજયામાં મોબાઈલ કે કેમેરાથી રિલ્સ બનાવવા પર પ્રતિબંધ છે. આમછતાં ઘણા લોકો અહીં રિલ્સ બનાવી રહ્યા છે. જેથી રિલ્સ બનાવતા લોકો વિરુદ્ધ પોલીસે પગલાં લેવાની નોબત આવી છે. રિલ્સ બનાવનાર 270 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 75250 દંડ સ્થળ પર વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેદારનાથ જતા માર્ગ પર તંબાકુનું સેવન કરનાર 120 લોકો સામે કાર્યવાહીના ભાગરૂપે 15200નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઉત્તરાખંડ વહીવટી તંત્રએ કેદારનાથ મંદિર પરિસરથી 50 મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારની રિલ બનાવવા પર કડક પ્રતિબંધ મૂક્યો છે. જો કોઈ વ્યકતિ મંદિર પરિસરમાં રિલ્સ બનાવતા પકડાશે તે તેની સામે દંડની કાર્યવાહી કરાઈ રહી છે. મંદિર પરિસરમાં અત્યાર સુધી કુલ 270 લોકો સામે દંડ વસૂલવામાં આવ્યો છે. જેનાથી 75250 રૂપિયા વસૂલાયા છે.

 પોલીસ દારુડિયા, ગંજેડી અને મોબાઈલમાં રિલ્સ બનાવતા લોકોને શોધી રહી છે

પોલીસની ટીમ ચારેબાજુ સર્ચ અભિયાન ચલાવી રહી છે. પગપાળા પડાવ અને પદયાત્રા માર્ગ પર ગેરકાયદે દારૂ વેચનાર 31 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે 38 આરોપીઓને પકડીને સીધા જેલભેગા કરી દેવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી પાંચ લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓપરેશન હેઠળ રીલ્સ બનાવનાર, નશો અને તંબાકુનું સેવન કરનારની સાથે પોલીસ તરફથી દારૂ વેચતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.


  • Follow us on: