- દેશમાં સૌપ્રથમ મધ્યપ્રદેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરાઈ
- ઈન્દોરમાં એક દિવસમાં 11 લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સર્જાયો
- PM કોલેજ ઓફ એક્સેલન્સ માટે 486 કરોડ રૂપિયા મંજૂર
મધ્યપ્રદેશને શિક્ષણ ક્ષેત્રે મોટી ભેટ મળી છે. ઈન્દોરની અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના 55 જિલ્લામાં PM કોલેજ ઓફ એક્સેલન્સનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ઈન્દોર એજ્યુકેશન હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
મધ્યપ્રદેશના 55 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ
ઈન્દોરની અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે મુખ્યમંત્રી મોહન યાદવે પણ ઉપસ્થતિ કહ્યા હતા. કન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન કોલેજ ઓફ એક્સેલન્સ દ્વારા મધ્યપ્રદેશના 55 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ આપવામાં આવી રહી છે. હું મધ્યપ્રદેશના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. આપણે મુંબઈને દેશની આર્થિક રાજધાની કહીએ છીએ, તેવી જ રીતે ઈન્દોર મધ્યપ્રદેશની આર્થિક રાજધાની છે. આ ખુશીની વાત છે કે ઈન્દોર એજ્યુકેશન હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર આપણું ભારત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને: અમિત શાહ
અમિત શાહે વધુમાં કહ્યું કે, દેશમાં સૌપ્રથમ મધ્યપ્રદેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે. હું આ મહત્વપૂર્ણ પગલા માટે મધ્યપ્રદેશ સરકારને અભિનંદન આપવા માંગુ છું. મધ્યપ્રદેશમાં એન્જિનિયરિંગ અને મેડિકલના અભ્યાસ માટે અભ્યાસક્રમ માતૃભાષા હિન્દીમાં લાગુ કરવામાં આવ્યો છે. આજે મારા માટે ખુશૂની વાત છે કે પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈની નગરી ઈન્દોરમાં એક વૃક્ષ માંના નામ અભિયાન અંતર્ગત એક દિવસમાં 11 લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સર્જાયો છે. PM નરેન્દ્ર મોદીનું સપનું છે કે આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર આપણું ભારત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને. વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે મોદી સરકારે સૌપ્રથમ નવી શિક્ષણ નીતિ લાવવાનું કામ કર્યું છે, જે વિદ્યાર્થીઓને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવાનું કામ કરશે.
નવી શિક્ષણ નીતિ મુજબ તમામ અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે
ઉલ્લેખનીય છે કે PM કોલેજ ઓફ એક્સેલન્સ પુસ્તકાલય, લેબના સાધનો અને રમતગમતની સુવિધાઓથી સજ્જ હશે. મધ્યપ્રદેશના તમામ જિલ્લાઓમાં 55 PM કોલેજ ઓફ એક્સેલન્સ માટે 486 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તમને એક્સેલન્સ કોલેજોની વિશેષતાઓની વાત કરવામાં આવે તો કોલેજો તમામ સંસાધનોથી સજ્જ હશે. આ સાથે નવી શિક્ષણ નીતિ મુજબ તમામ અભ્યાસક્રમો ઉપલબ્ધ થશે. 2232 નવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
મધ્યપ્રદેશને શિક્ષણ ક્ષેત્રે મોટી ભેટ મળી
મુખ્યમંત્રી ડો.મોહન યાદવે કહ્યું કે, આજે રાજ્યને ભેટ મળી રહી છે. સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ કરનાર મધ્યપ્રદેશ રાજ્ય બન્યું. પરંપરાગત અભ્યાસક્રમોની સીમાઓ તોડીને નવું શિક્ષણ શરૂ કર્યું. શિક્ષણને લગતા વિકલ્પો ખુલ્લા છે. PM કોલેજ ઓફ એક્સેલન્સ દરેક જિલ્લામાં એક કોલેજ છે. જેની શરૂઆત આ સત્રથી થઈ રહી છે. કોલેજો માટે રૂ. 450 કરોડના કામોનું ભૂમિપૂજન-ઉદ્ઘાટન આજે જ કરવામાં આવ્યું છે. મને ખુશી છે કે વિદ્યાર્થીઓ હવે આપણી સંસ્કૃતિને જાણશે અને આપણી સભ્યતાને સમજશે. આજે આ કોલેજો દ્વારા B.Com લોજિસ્ટિક્સ, B.Com E-Tech ઓપરેશન, B.Com ઈન રિટેલ ઓપરેશન, B.Sc ઈન હેલ્થ કેર મેનેજમેન્ટ, B.Sc માર્કેટિંગ ઇન સેલ્સ જેવા નવા અભ્યાસક્રમો સાથે આગળ વધી શકીએ છીએ.