• કેન્દ્ર સરકારે બહાર પાડ્યુ છે નોટિફિકેશન
  • શ્રમિકોને પ્રતિ દિવસ મળતી મજૂરીમાં વધારો
  • વેતનમાં 10 ટકા સુધીનો કરાયો છે વધારો

1એપ્રિલથી મનરેગા હેઠળ શ્રમિકોને પ્રતિદિવસ મળતી મજૂરીમાં વધારો મળશે. કેન્દ્ર સરકારે આ માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ સૂચના અનુસાર ઉત્તરાખંડમાં વેતનમાં સૌથી ઓછો વધારો થયો છે. જ્યારે ગોવામાં સૌથી વધુ વેતન મળશે. અહીં અગાઉના દરોની સરખામણીમાં 10 ટકા સુધીનો વધારો થયો છે. મહત્વનું છે કે આ યોજના વર્ષ 2005માં ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની ગેરંટી આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત વર્ષમાં 100 દિવસની રોજગારી આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આપ્યુ નોટિફિકેશન

નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ આ નોટિફિકેશનમાં ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 237 રૂપિયા દૈનિક વેતનની જાહેરાત કરવામાં આવી છે. જે ગત વખતની સરખામણીએ માત્ર 3 ટકાનો વધારો છે. જ્યારે ગોવામાં વેતનનો દર 356 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. અગાઉના વેતન દરની સરખામણીએ આ 10 ટકાનો વધારો છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં વેતન દર પહેલા 230 રૂપિયા પ્રતિ દિવસ હતો, જે હવે વધારીને 237 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યો છે. હરિયાણા અને સિક્કિમમાં વેતન દર 374 રૂપિયા પ્રતિ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.

ક્યાં કેટલો છે મજૂરીદર ?

  • આંધ્ર પ્રદેશ - 300
  • અરુણાચલ પ્રદેશ - 234
  • આસામ - 249
  • બિહાર - 245
  • છત્તીસગઢ - 243
  • ગોવા – 356
  • ગુજરાત - 280
  • હરિયાણા - 374
  • હિમાચલ પ્રદેશ - 236 (SC - 295)
  • જમ્મુ કાશ્મીર - 259
  • લદ્દાખ - 259
  • ઝારખંડ - 245
  • કર્ણાટક-349
  • કેરળ - 346
  • મધ્ય પ્રદેશ - 243
  • મહારાષ્ટ્ર - 297
  • મણિપુર - 272
  • મેઘાલય-254
  • મિઝોરમ - 266
  • નાગાલેન્ડ – 234
  • ઓડિશા - 254
  • પંજાબ - 322
  • રાજસ્થાન - 266
  • સિક્કિમ – 249
  • તમિલનાડુ - 319
  • તેલંગાણા - 300
  • ત્રિપુરા - 242
  • ઉત્તર પ્રદેશ - 237
  • ઉત્તરાખંડ-237
  • પશ્ચિમ બંગાળ - 250
  •  આંદામાન - 329
  •  નિકોબાર - 347
  • દાદરા અને નગર હવેલી અને દમણ અને દિવ - 324
  • લક્ષદ્વીપ – 315
  • પુડુચેરી - 319

  • Follow us on: