• મધ્યપ્રદેશમાં એક જ પરિવારના 8ની હત્યા
  • હત્યારો ફાંસીએ લટકી ગયો
  • પોલીસ પહોંચી ઘટના સ્થળે

મધ્યપ્રદેશના છિંદવાડામાં એક શખ્સે પોતાના પરિવારના 8 લોકોની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારો પોતે ફાંસીના માંચડે લટકી ગયા. આ ઘટનાને પગલે છીંદવાડામાં હડકંપ મચ્યો છે.

એક જ પરિવારના 8ના મોત

આ ઘટના મહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ બોદલ કછારની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એસપી મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોની મોતની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યુ કે હત્યારો પરિવારનો જ વ્યક્તિ હતો. તે માનસિક બીમાર હતો. ગત રાતે તેણે ભાઇ,ભાભી, પત્ની અને બાળકો સહિત 8ની હત્યા કરી દીધી. જે બાદ કે 100 મીટર દૂર એક ઝાડ પર જઇને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં એક બાળક ઘાયલ હોવાનું સામે આવ્યું છે.


  • Follow us on: