વિશ્વભરમાં મંકીપોક્સનો વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને મંકીપોક્સને લઈ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ચુકયું છે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, વિદેશથી ભારત પરત આવેલા એક વ્યકિત મંકીપોક્સ વાયરસથી ચેપગ્રસ્ત હોવાની આશંકા છે. જેથી આ દર્દીને આઈસોલેટ કરી હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, દર્દીની સ્થિતિ સ્થિર છે. એમપોક્સની હાજરી થવા અંગે દર્દીના લોહીના રિપોર્ટની પ્રતીક્ષા કરાઈ કરાઈ રહી છે.



આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે કેસ સ્થાપિત પ્રોટોકોલ મુજબ સંચાલિત કરવામાં આવી રહ્યો છે અને સંભવિત સ્ત્રોતોને ઓળખવા અને દેશમાં વાયરસની અસરનું મૂલ્યાંકન કરવા માટે સંપર્ક ટ્રેસિંગ ચાલી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયની તાજેતરની બેઠકમાં, એવું બહાર આવ્યું હતું કે સામાન્ય રીતે મંકીપોક્સમાં ચેપનો સમયગાળો 2-4 અઠવાડિયા હોય છે અને દર્દીઓ સામાન્ય રીતે સહાયક સંચાલનથી સ્વસ્થ થઈ જાય છે. જો કે મંત્રાલયે લોકોને આ અંગે સતર્ક રહેવાની સલાહ આપી છે. મંકીપોક્સના વધતા જતા કેસોએ પણ લોકોની ચિંતા વધારી છે.

ડરવાની કોઈ જરૂર નથી

આરોગ્ય મંત્રાલયે આગળ જણાવ્યું કે વધુ ચિંતાની જરૂર નથી, કારણ કે, આ મામલો રાષ્ટ્રીય રોગ નિયંત્ર કેન્દ્ર દ્વારા પહેલા કરવામાં આવેલા જોખમ આકારણી પ્રમાણે છે. મંત્રાલયે આપેલા નિવેદનમાં વિશ્વ આરોગ્ય સંગઠને વાયરસના એક નવા પ્રકારની ઓળખ કર્યા પછી 14 ઓગસ્ટે વાયરસના પ્રકોપને જે આંતરરાષ્ટ્રીય ચિંતાને જાહેર આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આની પહેલા વર્ષ-2022ના જુલાઈમાં મંકીપોક્સને પીએચઆઈસી જાહેર કરી હતી. જે બાદ મે મહિનો -2023માં આને રદ્દ કરી હતી. 

  • Follow us on: