• મુંબઇના બોરિવલી પૂર્વ વિસ્તારમાં આગની ઘટના
  • બહુમાળી ઇમારતમાં લાગી આગ
  • શ્વાસ રુંધાવાથી એકનું મોત

મુંબઈના બોરીવલી ઈસ્ટ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ ફાટી નીકળી છે. આગમાં ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

મળતી માહિતી મુજબ બોરીવલી પૂર્વ વિસ્તારમાં મગાથાણે મેટ્રો સ્ટેશન પાસે કનકિયા સમર્પણ ટાવરમાં આગ લાગી હતી. આ ટાવર રહેણાંક હોવાનું કહેવાય છે. આગમાં ગૂંગળામણને કારણે એકનું મોત નીપજ્યુ છે જ્યારે ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓની હાલત સ્થિર છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોના નામ રંજના રાજપૂત, શિવની રાજપૂત અને શોભા સાવલે છે.

22 માળની ઈમારતમાં આગ લાગી હતી

ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આગ કનકિયા સમર્પણ ટાવરના પહેલાથી છઠ્ઠા માળ સુધી જ પહોંચી શકી હતી. જ્યાં આગ લાગી તે જગ્યા 22 માળની હાઇરાઇઝ રહેણાંક ઇમારત છે. હાલ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકો સુરક્ષિત છે. આગ લાગવાનું કારણ હજી સામે આવ્યુ નથી.


  • Follow us on: