• મુંબઈ-ગોવા નેશનલ હાઈવે 3 દિવસ માટે બંધ રહેશે
  • વાહનો માટે અલગ-અલગ રૂટ નક્કી કરાયા
  • નેશનલ હાઈવે પર પુલનું નિર્માણની કામગીરીને લઇ નિર્ણય

મુંબઈ-ગોવા નેશનલ હાઈવે 11 જુલાઈથી 13 જુલાઈ વચ્ચે સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ સાથે મુંબઈ-ગોવા વચ્ચે વાહનોના પસાર થવા માટે અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પુલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કારણે મુંબઈ-ગોવા નેશનલ હાઈવે 11 જુલાઈથી 13 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોલાડ નજીક પુઇ મસદરા ખાતે બ્રિજના ગર્ડર લગાવવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે નેશનલ હાઇવે બંધ રહેશે.

મળતી માહિતી મુજબ, મુંબઈ-ગોવા નેશનલ હાઈવે 11 જુલાઈથી 13 જુલાઈ વચ્ચે સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે. આ સાથે મુંબઈ-ગોવા વચ્ચે વાહનોના પસાર થવા માટે અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

અલગ-અલગ રૂટ નક્કી કરાયા

  • મુંબઈથી ગોવા જવા માટે મુસાફરો માટે પહેલો રૂટ વાકન ફાટા, ભીસે ખીંડ, રોહા કોલાડ વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.
  • જ્યારે, મુંબઈથી ગોવા જવા માટેનો અન્ય વૈકલ્પિક માર્ગ વાકન ફાટા, પાલી, રાવલજે નિઝામપુર માનગાંવ છે.
  • આ ઉપરાંત ખોપોલી પાલી વાકન નેશનલ હાઈવે નંબર 548Aથી આવતા મુસાફરો પાલીથી મુંબઈ-ગોવા હાઈવે પર પહોંચી શકે છે.
  • જો કોઈ પ્રવાસી ગોવાથી મુંબઈ આવી રહ્યો હોય તો તેણે કોલાડ, રોહા, ભીસે પાસ વાકન ફાટા અથવા નાગોથાણે થઈને મુંબઈ ગોવા હાઈવે પરથી પસાર થવું પડશે.

ગોવાથી મુંબઈ પહોંચવા માટે અન્ય વૈકલ્પિક માર્ગ પણ નક્કી કરવામાં આવ્યો છે. યાત્રીઓ ખોપોલી નેશનલ હાઈવે નંબર 548A થઈને કોલાડ, રાવલજે, પાલી થઈને મુંબઈ આવી શકે છે. તે જ સમયે, ગોવાથી મુંબઈનો ત્રીજો માર્ગ કોલાડ, રાવલજે પાલી-વાકન ફાટા વચ્ચે નક્કી કરવામાં આવ્યો છે.

  • Follow us on: