જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાને ઇમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ. જયપુરથી ઉડાન ભરતાની સાથે જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. આ વિમાન દિલ્હીથી મુંબઈ જઈ રહ્યું હતું. ટેકઓફ કર્યાના 18 મિનિટ પછી જ વિમાનને રનવે પર પાછું લાવવામાં આવ્યુ હતુ. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-612એ જયપુર એરપોર્ટથી બપોરે 1.58 કલાકે મુંબઈ માટે ઉડાન ભરી હતી. જોકે, તેનો ટેક ઓફ સમય 1:35 કલાકનો હતો. આ વિમાન લગભગ 23 મિનિટ મોડું હતુ.
હવાઇ અકસ્માત ટળ્યો













