અકસ્માત થતા તેમનું પ્લેન ક્રેશમાં કરૂણ મોત થયુ હતુ. રાજનીતિમાં તેમના યોગદાનને હંમેશા યાદ રખાશે. અજિત પવાર NCPના સંસ્થાપક શરદ પવારના ભત્રીજા હતા. ફક્ત રાજનીતિ સુધી જ અજિત પવારનું નામ ન રહ્યુ તેમણે સંગઠન પર જબરદસ્ત પકડ બનાવી હતી. તેમના અનુભવે પાર્ટીને એક અલગ જ ઉંચાઇ પર પહોંચાડી હતી. અજિત પવારે કેટલો અભ્યાસ કર્યો હતો અને સંઘર્ષ કર્યા પછી સત્તાના શિખર સર કર્યા હતા.


અજિત પવાર : શિક્ષણ અને રાજકીય સફર

મહારાષ્ટ્રની રાજનીતિમાં અજિત પવાર એક અનુભવી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છે અને સંગઠનાત્મક કુશળતા તથા પ્રશાસનિક અનુભવ માટે જાણીતા છે.

શિક્ષણ:

અજિત પવારની શરૂઆતની શિક્ષા બારામતીમાં થઈ હતી. તેમણે વર્ષ 1973-74માં મહારાષ્ટ્ર એજ્યુકેશન સેકન્ડરી હાઈસ્કૂલ, બારામતીમાંથી 12માની (HSC)ની પરીક્ષા પાસ કરી હતી. વિદ્યાર્થી જીવનથી જ તેમનો ઝુકાવ સામાજિક અને જાહેર જીવન તરફ રહ્યો.

રાજનીતિમાં પ્રવેશ:

યુવા વયથી જ તેઓ રાજનીતિ સાથે જોડાયા. સંગઠનાત્મક કાર્યોથી શરૂઆત કરીને તેઓ ધીમે ધીમે જનતા સાથે મજબૂત જોડાણ બનાવતા ગયા. ઝડપી નિર્ણયક્ષમતા અને પ્રશાસનિક સમજ તેમના મુખ્ય ગુણોમાં સામેલ છે.

ઉપમુખમંત્રી તરીકે રેકોર્ડ:

અજિત પવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ વખત ઉપમુખમંત્રી બનનારા નેતાઓમાં સામેલ છે. વિવિધ સરકારોમાં તેમણે આ જવાબદારી સંભાળી છે, જે એક મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ માનવામાં આવે છે.

આ પણ વાંચો: Ajit Pawar Plane Crash : પ્લેન ક્રેશ પહેલા મહારાષ્ટ્રના ડિપ્ટી CM અજિત પવારની અંતિમ પોસ્ટ, કોને કર્યા હતા યાદ?

  • Follow us on: