એર ઈન્ડિયાએ 22 જૂને તેના ફ્લાઈટ શેડ્યુલને લઈને મોટો ફેરફાર કર્યો છે. ટાટા ગ્રુપની એર લાઈન્સ એર ઈન્ડિયાએ 21 રૂટ પરની ફ્લાઈટમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં 3 રૂટ પર ફ્લાઈટ સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી છે, જ્યારે 19 રૂટ પર ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર આગામી 15 જુલાઈ 2025 સુધી લાગુ રહેશે. કંપનીનું કહેવું છે કે આ પગલું તેમના નેટવર્કને વધારે સ્થિર બનાવવા અને મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે લેવામાં આવ્યું છે.



15 જુલાઈ સુધી 3 રૂટ પરની ફ્લાઈટ રહેશે બંધ

  • બેંગ્લુરૂ- સિંગાપુર
  • પૂણે-સિંગાપુર
  • મુંબઈ-બાગડોગરા

આ રૂટની ફ્લાઈટની સંખ્યા ઘટાડવામાં આવી

  • બેંગલુરુ-ચંદીગઢ: 14 થી ઘટાડીને 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-બેંગલુરુ: 116 થી ઘટાડીને 113 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-મુંબઈ: 176 થી ઘટાડીને 165 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-કોઇમ્બતુર: 13થી ઘટાડીને 12 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-ગોવા (ડાબોલિમ): 14થી ઘટાડીને 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-ગોવા (મોપા): 14થી ઘટાડીને 7 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-હૈદરાબાદ: 84 થી ઘટાડીને 76 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-ઇન્દોર: 21થી ઘટાડીને 14સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-લખનૌ: 28થી ઘટાડીને 21 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • દિલ્હી-પુણે: 59થી ઘટાડીને 54 સાપ્તાહિક ફ્લાઇટ્સ કરવામાં આવી.
  • મુંબઈ-અમદાવાદ: સાપ્તાહિક ફ્લાઇટ્સ 41 થી ઘટાડીને 37 કરવામાં આવી.
  • મુંબઈ-બેંગલુરુ: સાપ્તાહિક ફ્લાઇટ્સ 91 થી ઘટાડીને 84 કરવામાં આવી.
  • મુંબઈ-કોલકાતા: સાપ્તાહિક ફ્લાઇટ્સ 42 થી ઘટાડીને 30 કરવામાં આવી.
  • મુંબઈ-કોઇમ્બતુર: સાપ્તાહિક ફ્લાઇટ્સ 21 થી ઘટાડીને 16 કરવામાં આવી.
  • મુંબઈ-કોચી: સાપ્તાહિક ફ્લાઇટ્સ 40 થી ઘટાડીને 34 કરવામાં આવી.
  • મુંબઈ-ગોવા (ડાબોલિમ): સાપ્તાહિક ફ્લાઇટ્સ 34 થી ઘટાડીને 29 કરવામાં આવી.
  • મુંબઈ-હૈદરાબાદ: સાપ્તાહિક ફ્લાઇટ્સ 63 થી ઘટાડીને 59 કરવામાં આવી.
  • મુંબઈ-વારાણસી: સાપ્તાહિક ફ્લાઇટ્સ 12 થી ઘટાડીને 7 કરવામાં આવી.
  • દિલ્હી-કોલકાતા: સાપ્તાહિક ફ્લાઇટ્સ 70 થી ઘટાડીને 63 કરવામાં આવી.

  • Follow us on: