અમેરિકાની દગાબાજી બાદ ભારતના વેપાર પર શું અસર પડશે તેના પર સૌ કોઇની નજર છે. ભારતના અર્થતંત્ર સકારાત્મક રહેશે નકારાત્મક તેના વિશે સૌ કોઇ ચિંતિત છે. હવે અમેરિકાના આ પગલા પછી ભારત પર શું અસર પડશે? શું આનાથી ભારતીય ઉદ્યોગો અને અર્થતંત્ર પર કોઈ અસર પડશે? ઘણા દેશો યુએસ બજારમાં પૈસા કમાવવાના છે. ટ્રમ્પે પોસ્ટ કરી છ કે, ભારત અમારો મિત્ર હોવા છતાં, અમે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે.


કેવી રીતે થશે આયાત-નિકાસ ?

વર્ષ 2024માં ભારતે યુએસને $87.4 બિલિયનના માલની નિકાસ કરી હતી, જ્યારે યુએસથી $41.8 બિલિયનની આયાત કરી હતી. જેના કારણે યુએસને $45.7 બિલિયનની વેપાર ખાધ થઈ હતી. ભારતની મુખ્ય નિકાસમાં દવાઓ, કાપડ, રત્નો અને ઝવેરાત, ઇલેક્ટ્રોનિક્સ અને સ્ટીલ-એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે. ભારત મોટા પાયે યુએસને નિકાસ કરે છે, જે આપણી કુલ નિકાસના લગભગ 18% છે.

કયા તબક્કમાં થશે અસર ?

ભારત યુએસને સૌથી વધુ કપડાં નિકાસ કરે છે. 2023-24 માં, $36 બિલિયનના કપડાંની નિકાસ કરવામાં આવી હતી, જેમાંથી 28% યુએસ ગયા હતા. ઊંચા ટેરિફથી ભારતીય કપડાંના ભાવમાં વધારો થશે. જેના કારણે ત્યાં તેમનું બજાર ઘટી શકે છે. સ્વાભાવિક રીતે, આનાથી તેમના નિકાસ ઓર્ડર પર અસર પડશે. ભારતનો હીરા અને રત્ન ઉદ્યોગ $9 બિલિયનથી વધુની નિકાસ કરે છે. ટેરિફ તેની માંગ ઘટાડી શકે છે. કારણ કે જ્યારે ખર્ચ વધે છે ત્યારે અમેરિકન ગ્રાહકો અન્ય સ્ત્રોતો તરફ વળે છે. ભારતીય ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ ધીમી પડી જશે કારણ કે $14 બિલિયનની ઇલેક્ટ્રોનિક્સ નિકાસ હવે નવા ટેરિફનો સામનો કરશે. ભારતીય કંપનીઓનો વિકાસ ધીમો પડી શકે છે.

શું ITને અસર થશે ?

ભારતનું IT ક્ષેત્ર અમેરિકન બજાર પર નિર્ભર છે. અલબત્ત ટેરિફ તેની સીધી અસર કરશે નહીં. પરંતુ જ્યારે ટેરિફની અસર અમેરિકન ગ્રાહકોના ખિસ્સા પર પડવાનું શરૂ થશે. ત્યારે ત્યાં પણ વસ્તુઓ મોંઘી થશે, પછી તે પરોક્ષ રીતે IT ક્ષેત્રને અસર કરશે.

GDP પર શું અસર થશે?

નિષ્ણાતોનો અંદાજ છે કે 25% ટેરિફ ભારતના GDP માં 0.19% ઘટાડો કરી શકે છે, જે ઘર દીઠ સરેરાશ વાર્ષિક રૂ. 2396 ના નુકસાન બરાબર છે. તેની ચોક્કસપણે અસર થશે. ટેરિફ પછી, રૂપિયો નબળો પડીને 85.69 ના સ્તરે પહોંચી ગયો. નિકાસમાં ઘટાડાથી વિદેશી હૂંડિયામણ ભંડાર પર અસર થઈ શકે છે. ના, ભારતના અર્થતંત્ર પર વધુ અસર થવાનું નથી. ભારતનું અર્થતંત્ર $3.73 ટ્રિલિયનનું છે અને તે વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. 2023માં તેનો વિકાસ દર 6.3% હતો. જે વૈશ્વિક સરેરાશ 2.9% કરતા ઘણો વધારે છે. ભારતની સ્થાનિક માંગ મજબૂત છે. જે અર્થતંત્રને 6.5-7.5% ના વિકાસ દર પર રાખશે, તેથી તેના પર ટેરિફની અસર મર્યાદિત રહેશે.

  • Follow us on: