અમેરિકાએ ભારત પર લગાવેલા 25 ટકા ટેરિફ મામલે બજારમાં હલચલ જોવા મળી રહી છે. ત્યારે ભારતે પોતાનું મજબૂત સ્વરૂપ દુનિયા સમક્ષ રજૂ કર્યુ છે. ભારતે જણાવ્યુ છે કે, અર્થવ્યવસ્થા પર કોઇ અસર નહી પડે. તો આ તરફ, નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે, જીડીપીને પણ ટેરિફ અસર નહી કરી શકે. પરંતુ નિકાસની બાબતે થોડી અછત જોવા મળી શકે છે. ભારત પોતાની રાષ્ટ્રીય પ્રાથમિકતાને મહત્ત્વ આપશે.


રાષ્ટ્રીય હિતો પર નહી આવે મુશ્કેલી

આર્થિક નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, ભારત આગામી 3થી 4 વર્ષોંમાં સાડા 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. સરકારે જણાવ્યુ છે કે, તે કોઇપણ બાહ્ય નીતિઓના દબાણમાં નહી આવે. આ ઉપરાંત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતી માટે વાતચીત યોગ્ય દિશામાં ચાલી રહી હોવાનું જણાવ્યુ હતુ. એકવાર આ વેપાર કરાર થઇ જાય તે બાદ ટેરિફ સમીક્ષા પર પણ સંવાદ કરવામાં આવશે. ભારત સરકારે નિશ્ચિતપણે જણાવ્યુ છે કે, તેમની આર્થિક પ્રગતિ અને રાષ્ટ્રીય હિતો પર કોઇ મુશ્કેલી નહી આવે.

શું કહી રહ્યા છે અર્થશાસ્ત્રીઓ?

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ ગ્રુપની રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, આ ટેરિફથી નાણાકિય વર્ષ 2026માં ભારતની જીડીપીની વૃદ્ધીમાં 40 બેસિઝ પોઇન્ટની અછત જોવા મળી શકે છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે ભારત પર લગાવવામાં આવેલો 25 ટકા ટેરિફ એ 15-20% સામાન્ય રેન્જથી અધિક છે. જે અન્ય એશિયાઇ દેશો સાથે નક્કી કરવામાં આવ્યુ છે. ચીન પર લાગૂ કરવામાં આવેલા 30 ટકા ટેરિફની નજીક છે. 

  • Follow us on: