રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ₹5,956 કરોડ મૂલ્યની ₹2000 મૂલ્યની નોટો હજુ પણ ચલણમાં છે, જ્યારે આ નોટોને 19 મે 2023 ના રોજ ચલણમાંથી દુર કરવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી દેવાઇ હતી.


98.33% નોટો પરત કરવામાં આવી

જો કે ₹2000 ની નોટો હજુ પણ કાયદેસર ટેન્ડર છે. 19 મે 2023 ના રોજ જ્યારે તેમને પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે કુલ ₹2000 ની નોટો ચલણમાં ₹3.56 લાખ કરોડ મૂલ્યની હતી. 31 ઓગસ્ટ 2025 સુધીમાં, આ રકમ ઘટીને ₹5,956 કરોડ થઈ ગઈ છે. એટલે કે, અત્યાર સુધીમાં ₹2000 ની 98.33% નોટો પરત કરવામાં આવી છે.

તમે હજુ પણ નોટો પરત કરી શકો છો

લોકો RBI ની 19 ઈશ્યુ ઓફિસોમાં ₹2000 ની નોટો જમા કરાવી શકે છે અથવા બદલી શકે છે. 9 ઓક્ટોબર 2023 થી, RBI એ આ નોટોને બેંક ખાતામાં જમા કરાવવાની સુવિધા પણ શરૂ કરી છે. ઉપરાંત, ઈન્ડિયા પોસ્ટ દ્વારા, કોઈપણ નાગરિક પોતાની ₹ 2000 ની નોટો પોસ્ટ દ્વારા RBI ના ઈશ્યુ ઓફિસમાં મોકલી શકે છે, જે તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ ખાતે આ સુવિધા છે

આ નોટ વોટરમાર્ક, સુરક્ષા થ્રેડ, માઇક્રોટેક્સ્ટ વગેરે જેવી સલામતી સુવિધાઓથી સજ્જ

₹ 2000 ની નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નવેમ્બર 2016 માં જારી કરવામાં આવી હતી. આ નોટનો રંગ મેગેલનિક પર્પલ છે. આ નોટ વોટરમાર્ક, સુરક્ષા થ્રેડ, માઇક્રોટેક્સ્ટ વગેરે જેવી સલામતી સુવિધાઓથી સજ્જ છે. નોટની પાછળ દેશના પ્રથમ આંતરગ્રહીય મિશન 'મંગળયાન' ને દર્શાવે છે, જે ભારતની અવકાશ યાત્રામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે. ₹ 2000 ની નોટનું કદ 66 mm x 166 mm છે.

  • Follow us on: