દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં આવેલા Flourish Stay Hotel હોટલ અગ્નિકાંડ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહી તે ભયાનક દુર્ઘટના બાદ કરવામાં આવી છે જેમાં 21 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને લઈને અગાઉ લવકેશ બજાજ અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે. પોલીસની ટીમો સતત તેમની શોધખોળમાં લાગી હતી.



આગ કેવી રીતે લાગી હતી?

આ દુર્ઘટના માલવીયા નગરના હૌઝ રાની વિસ્તારમાં આવેલી ફ્લોરિશ સ્ટે બેડ એન્ડ બ્રેકફાસ્ટ હોટલમાં બની હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે અનેક લોકો બહાર નીકળી શક્યા નહીં અને 21 લોકોના મોત થયા. તપાસમાં સામે આવ્યું છે કે હોટલ પાસે ફાયર એનઓસી નહોતું. તપાસ મુજબ હોટલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી હતી, પરંતુ અંદાજે 25 રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત બેઝમેન્ટમાં પણ રૂમ બનાવવામાં આવ્યા હતા, જે નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઈમારતમાં ફક્ત એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હતું, જેના કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહોતા અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી.

ગંભીર આરોપો સાથે FIR દાખલ

આ મામલે પોલીસે પહેલેથી જ બિનઈરાપૂર્વક હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ FIR દાખલ કરી છે. હવે હોટલ માલિકની કસ્ટડી મળ્યા બાદ તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિયમોના ઉલ્લંઘન અને બેદરકારી પાછળ કોની-કોની જવાબદારી હતી અને આખી ગેરરીતિ કેવી રીતે ચાલી રહી હતી.

આ પણ વાંચો : Delhi Fire: આ 5 લાપરવાહી પડી ભારે..21એ ગુમાવ્યો જીવ, Fire NOC પણ ન હતી



  • Follow us on: