બુધવારે વહેલી સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ઋષિકેશથી ઈન્દોર જઈ રહેલી એક ખાનગી બસ ટ્રેલર સાથે અથડાયા બાદ રસ્તાની બાજુની ખાઈમાં ખાબકી ગઈ. આ દુર્ઘટનામાં 8 મુસાફરોના મોત થયા છે, જ્યારે અન્ય 22 લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, બસ ચાલકને ઝોકું આવી જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો હોઈ શકે છે.
આ ઘટના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના રેસ્ટ એરિયા નજીક બની
આ ઘટના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના રેસ્ટ એરિયા નજીક બુધવારે વહેલી સવારે અંદાજે 2:30 વાગ્યે બની હતી. બસ ખાઈમાં પડતાં જ તેના પાછળના ભાગમાં આગ લાગી અને ઘટનાસ્થળે ચીસો-પોકાર મચી ગઈ. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તે સમયે મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બસની ઉપરની બર્થ પર સૂતા મુસાફરો નીચે પટકાયા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.













