વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી શુભાંશુ શુક્લા અવકાશમાં ઉડાન ભરનારા બીજા અવકાશયાત્રી છે.
ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવાન્વિત
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઐતિહાસિક ISS મિશનમાં અસાધારણ સાહસ માટે અશોક ચક્રથી સન્માનિત કરાશે. એક્સિઓમ-4 મિશન પર શુભાંશુ શુક્લાએ પડકારજનક સ્થિતિમાં અદમ્ય સાહસ અને સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. જેના કારણે તેમને દેશનું સર્વોચ્ચ શાંતિકાલીન વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરવામાં આવશે. શુભાંશુ શુક્લાએ ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવાન્વિત કર્યુ છે. તેમની બહાદુરી માટે તેમના નામની ભલામણ અશોક ચક્ર માટે કરાઇ હતી.
Also Read
Shubhanshu shukla: લખનૌ પહોંચ્યા શુભાંશુ શુક્લા, પરિવાર સહિત CM યોગી સાથે કરી મુલાકાત, જુઓ તસવીર
Shubhanshu Shukla News: ઇસરોના અધ્યક્ષ ડૉ.વી.નારાયણ અને શુભાંશુ શુક્લાની સંયુક્ત પત્રકાર પરિષદ, શુભાંશુએ દેશવાસીઓનો માન્યો આભાર
Shubhanshu Shukla:સ્પેસ સ્ટેશનમાં કેવી હોય જિંદગી? શુભાંશુ શુક્લાએ PM મોદી સાથે અનુભવ શેર કર્યા
ISS પર અસંખ્ય જટિલ પ્રયોગો
શુભાંશુ શુક્લાએ અવકાશમાં નોંધપાત્ર સમય વિતાવ્યો હતો. તેઓ 14 જુલાઈના રોજ પૃથ્વી પર પાછા ફર્યા ત્યાં લગભગ 20 દિવસ વિતાવ્યા હતા. અવકાશમાં તેમના રોકાણ દરમિયાન તેમણે બાયોમેડિકલ સાયન્સ, ન્યુરોસાયન્સ, કૃષિ, અવકાશ ટેકનોલોજી અને અદ્યતન સામગ્રી વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોને આવરી લેતા 60 થી વધુ પ્રયોગો કર્યા હતા. મિશન દરમિયાન, શુભાંશુએ માઇક્રોગ્રેવિટી, માનવ શરીરવિજ્ઞાન અને અદ્યતન સામગ્રી સંબંધિત ISS પર અસંખ્ય જટિલ પ્રયોગો કર્યા હતા.
અશોક ચક્ર પુરસ્કાર માટે ભલામણ
શુભાંશુ શુક્લાએ અવકાશના કઠોર વાતાવરણમાં અસાધારણ હિંમત, સ્થિતિસ્થાપકતા અને માનસિક દૃઢતા દર્શાવી, ગંભીર શારીરિક તાણ, કિરણોત્સર્ગના સંપર્ક અને સ્નાયુઓને નુકસાન, બદલાયેલ શારીરિક કાર્ય અને માનસિક તાણ સહિતના સ્વાસ્થ્ય જોખમોનો સામનો કર્યો. તેમની સૌથી નોંધપાત્ર બહાદુરી માટે, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર પુરસ્કાર માટે ભલામણ કરવામાં આવી છે.










