દિલ્હી ખાતે ભારત મંડપમમાં યોજાયેલી India Ai Impact Summitમાં અનેક દેશો અને અગ્રણી ટેક CEO ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં ઈન્ફોસિસના સહ સ્થાપક નંદન નીલેકણીએ પ્રેરણાદાયક નિવેદન આપ્યું હતું. નીલેકણીએ વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે આ કિસ્સાને લઈને કહ્યું કે, પીએમ મોદીએ ખેડૂતો માટે AI લાગુ કરવાનો વિચાર કેવી રીતે સૂચવ્યો.તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે નેતાઓ ટેકનોલોજીને કેટલી ઊંડાણપૂર્વક સમજી શકે છે.પીએમ મોદીની સલાહથી કંપનીની દિશા બદલાઈ અને તેમણે "સરલાબેન" એપ બનાવી, જે ગુજરાતના લાખો ખેડૂતોને મદદ કરશે.
ડેરીમાં AI લાગુ કરવાનું પોતાનું વિઝન આપ્યું
નીલેકણીએ કહ્યું કે, જ્યારે હું 8 જાન્યુઆરીએ પીએમ મોદીને મળ્યો અને ખેડૂતો માટે AIનો અમલ કરવા અંગે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, આપણે તેને ગાય અને ઢોર પર કેમ લાગુ ન કરી શકીએ? કારણ કે જો ગાય બીમાર હોય તો તે તમને કહી શકતી નથી કે તે બીમાર છે.તમે આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકો? તેમણે અમને ખેતી અને ડેરીમાં AI લાગુ કરવાનું પોતાનું વિઝન આપ્યું. 8 જાન્યુઆરીના રોજ, પીએમ ઓફિસમાં અધિકારીઓ, અમૂલના પ્રતિનિધિઓ અને તેમના કેટલાક સાથીદારો સાથે એક બેઠક યોજાઈ હતી.માત્ર ત્રણ અઠવાડિયામાં એપ્લિકેશન લાઇવ થઈ ગઈ.આ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, જેમાં 3.6 મિલિયન ખેડૂતો, વાર્ષિક 2 અબજ દૂધના ટ્રાન્ઝેક્શન અને 40 મિલિયન પશુઓ છે.













