સરકાર ભાગેડું ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને દેશમાં પાછા લાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહી છે.એટલાં માટે સરકાર હર સંભવ પ્રયાસ કરી કહી છે.આ વચ્ચે એવા સમચાર સામે આવ્યા છે કે ભારત સરકારે બેલ્જિયમના ન્યાય મંત્રાલય અને અધિકારીઓને એક પત્ર સોંપ્યો, જેમાં એ શરતો વિશે બતાવ્યુ છે, જેના હેઠળ ચોક્સીની અટકાયત કરવામાં આવશે. આ પત્ર ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો હતો. આ પત્રમાં પ્રત્યાર્પણ કાર્યવાહીમાં ઉઠાવવામાં આવેલી માનવ અધિકારોની ચિંતાઓને સંબોધવામાં આવી છે.


બેલ્જિયમના ન્યાયિક અધિકારીઓને ખાતરી અપાઇ

ભારત સરકાર બેલ્જિયમના ન્યાયિક અધિકારીઓને ઠોસ ખાતરી આપવી ઈચ્છે છે કે મેહુલ ચોકસીની કસ્ટડી માનવાધિકારના નિમ્નતમ ધોરણો અનુસાર હશે. ગૃહ મંત્રાલયે મુંબઈની આર્થર રોડ જેલની બેરક નંબર 12 માં ચોકસીની ધરપકડ માટે ખાસ ફેરફારો કર્યા છે. પત્રમાં માનવીય અને સન્માનજનક વર્તન સહિત અનેક પ્રકારની ખાતરીઓ આપવામાં આવી છે. નિર્ધારિત ધોરણો મુજબ, ફર્નિચર છોડીને, દર બંધીને ઓછામાં ઓછું ત્રણ ચોરસ મીટરનું ખાનગી જગ્યા અપાવું આવશ્યક છે.

કઇ કઇ ખાસ સુવિધા હશે?

ANI અનુસાર પત્રમાં જણાવાયું છે કે બેરકમાં સુવા માટે સફાઈયુક્ત જાડું ગાદલું, તાકીયું, ચાદર અને કાંબળ પૂરું પાડવામાં આવશે. ડોક્ટરની સલાહ કે કોર્ટના આદેશ પર લાકડાનું કે લોખંડનું પલંગ પણ આપવામાં આવી શકે છે. બેરકમાં ગ્રિલવાળી બારીઓ, વેન્ટિલેટર અને સીલીંગ ફેન છે, જેની નિયમિત સફાઈ થાય છે. પીવાનું પાણી મ્યુનિસિપાલિટી દ્વારા પૂરું પાડવામાં આવે છે. ત્યાં ફ્લશ ટોઇલેટ અને વોશબેસિનવાળું શૌચાલય તથા સ્નાનગૃહ છે.

જમવામાં શું મળશે?

પત્ર અનુસાર, બંધીઓને દિવસે ત્રણ વખત પૂરતું ખોરાક આપવામાં આવશે. ડોક્ટરની સલાહ મુજબ ખાસ ડાયેટની પણ વ્યવસ્થા કરવામાં આવશે. રોજે રોજ ખુલ્લા આકાશ નીચે વ્યાયામ કરવાની છૂટ મળશે અને મનોરંજન માટે બોર્ડ ગેમ્સ અને બેડમિન્ટનની પણ વ્યવસ્થા છે. જેલમાં હંમેશાં ડોક્ટર હાજર રહેશે, જેમાં છ તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને ફાર્માસિસ્ટ શામેલ છે. જેલમાં જ ICU ક્ષમતા ધરાવતા 20 બેડવાળું હોસ્પિટલ છે અને નજીકમાં વધુ એક મોટું હોસ્પિટલ પણ છે, જ્યાં જરૂર પડે તો રિફર કરી શકાય છે.

હેલ્થ કેર અને સુરક્ષા વ્યવસ્થા

ગૃહ મંત્રાલયે પત્રમાં ઉમેર્યું છે કે ચોકસીના આરોગ્ય રિપોર્ટને ધ્યાનમાં રાખીને જરૂરી ઉપકરણો અને સારવાર મફત આપવામાં આવશે. બેરક નંબર 12 મુખ્ય જેલ સંકુલથી અલગ છે અને ત્યાં સતત CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. અહીં માત્ર અહિંસક કેદીઓને જ રાખવામાં આવે છે અને એ બેરક હિંસક અથવા ભીડભાડવાળા કેદીઓથી દૂર છે.


  • Follow us on: