મુંબઈમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. દહિસર વિસ્તારમાં આવેલી એક 24 માળની બિલ્ડિંગમાં આગ લાગવાથી ભારે હોબાળો મચી ગયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ ઘટનાની માહિતી આપી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગની ઘટના બપોરે લગભગ 3:05 વાગ્યે બની. જોકે, ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. તે જ સમયે, આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ
જો કે હાલમાં, આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગ્યા બાદ ઈમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દહિસરમાં એક રહેણાંક મકાનમાં આગ લાગ્યા બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 24 માળની ઈમારતમાં આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ શોધવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.













