નવી મુંબઇના નેરુલા સ્થિત સુશ્રુષા હોસ્પિટલમાં સોમવારે બેઝમેન્ટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જેમાં અનેક દર્દીઓ આગની ઝપેટમાં આવી ગયા. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરી, બીજી તરફ દર્દીઓને હોસ્પિટલમાંથી ઝડપથી બહાર કાઢવામાં આવ્યા. જ્યારે આગ લાગી ત્યારે 21 દર્દીઓ હોસ્પિટલમાં હતા. 20 દર્દીઓને બીજી બ્રાંચમાં શિફ્ટ કરવામાં આવી જ્યારે 1 દર્દીને વાશીની હોસ્પિટલમાં એડમિટ કરાયો.


4 દર્દીઓ હતા આઇસીયુમાં 

આગના સમયે 4 દર્દીઓ આઇસીયુમાં ભરતી હતા. તમામ લોકોએ ઓક્સિજન એમ્બ્યુલન્સથી બીજા હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી . જો કે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.

બેઝમેન્ટ બળીને ખાખ 

એક અધિકારીએ જણાવ્યું કે બેઝમેન્ટ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયો. જ્યારે ધુમાડો બીજા માળ સુધી ફેલાઇ ગયો. આગ લાગવાનુ કારણ હજી સામે આવ્યું નથી પરંતુ તપાસ શરૂ કરી દીધી છે. રિઝનલ ફાયર ઓફિસર ગજેન્દ્રએ જણાવ્યું કે 11.58 કલાકે આગ લાગી હોવાની સૂચના મળી હતી. જે બાદ અમારી ટીમ સ્પોટ પર પહોંચી . ત્યાં બેઝમેન્ટમાં આગ લાગી હતી.અમે બેઝમેન્ટમાં આગને ઓલવી દીધી બીજી તરફ રેસ્ક્યુ પણ ચાલુ રાખ્યું. કુલ 4 દર્દીઓ આઇસીયુમાં હતા જેમાંથી કુલ 21 દર્દીઓ હતા. સુવિષ્કરએ જણાવ્યું કે આગને કારણે કોઇ ઇજાગ્રસ્ત થયા નથી. 

  • Follow us on: