હિમાચલ પ્રદેશ પાસે બનગોટૂ સાઇટ પર પૈરાગ્લાઇડીંગ દરમિયાન ગુજરાતના 25 વર્ષીય યુવકનું મોત થયુ છે. મૃતકનું નામ સતીશ હોવાનું સામે આવ્યુ છે. આ દુર્ઘટના ઉડાણ ભરતા સમયે થઇ હતી. જેમાં સૂરજ નામનો પાયલટ ઘાયલ થયો છે. બનગોટૂ સાઇટને હમણા સુધી પ્રવાસન વિભાગ તરફથી પૈરાગ્લાઇડીંગની પરવાનગી નથી મળી. તેમ છતા અહીં પૈરાગ્લાઇડીંગ કરવામાં આવ્યુ હતુ. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.


25 વર્ષીય યુવકનું મોત

પૈરાગ્લાઇડીંગ સાઇટ ઇન્દ્રૂનાગ પાસે વિકાસ થઇ રહેલું બનગોટૂ સાઇટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીં પૈરાગ્લાઇડીંગ સમયે એક દુર્ઘટના થઇ હતી. જેમાં ગુજરાતના પ્રવાસીનું મોત થયુ છે. 25 વર્ષીય યુવક સતીશ પૈરાગ્લાઇડીંગ કરતા મોતને ભેટ્યો હતો. આ દુર્ઘટના ટેક ઓફ પોઇન્ટથી ઉડાણ ભરતા સમયે થઇ હતી. મૃતક પ્રવાસી અને ઘાયલ પાયલટને નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ પાયલટને ટાંડા હૉસ્પિટલ રિફર કરાયા હતા. બનગોટૂ સાઇટ મામલે માહિતી સામે આવે છે કે, અહીં પૈરાગ્લાઇડીંગ માટે પ્રવાસન વિભાગે કોઇ પરવાનગી આપી નથી. તેમ છતાં અહીં પૈરાગ્લાઇડીંગ કરાવવામાં આવી હતી.

અગાઉ પણ થઇ છે દુર્ઘટના

18 જાન્યુઆરી 2025ના રોજ ઇન્દ્રૂનાગથી ટેંડમ ફ્લાઇટ દરમિયાન પ્રવાસી યુવતીનું મોત થયુ હતુ. 19 વર્ષીય યુવતી ખુશી અમદાવાદની નિવાસી હતી. તે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી હતી. આ દુર્ઘટના બાદ તપાસનો દૌર શરુ થયો હતો. આ વખતે વરસાદના વાતાવરણે જોતા 15 જુલાઇ થી 15 સપ્ટેમ્બર સુધી પૈરાગ્લાઇડીંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવવાનો હતો. પરંતુ તે પહેલા જ આ દુર્ઘટનાએ સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. કાંગડાના એએસપી હિતેશ લખનપાલે જણાવ્યુ હતુ કે, ટેંડમ ફ્લાઇંગ દરમિયાન આ દુર્ઘટના થઇ હતી. અને એકનું મોત થયુ છે. 

  • Follow us on: