પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં લગભગ 5400 કરોડની યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજના બાંકુડા, પુરુલિયા અને દુર્ગાપુર સાથે સબંધિત છે. 2026માં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના આ પ્રવાસને ખુબ મહત્વનો માનવામાં આવે છે. 


પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતના વિકાસમાં દુર્ગાપુરની મહત્વની ભૂમિકા છે. 5400 કરોડ રુપિયાની પરિયોજનાઓ કનેક્ટિવીટીને વધારશે. જેનાથી સ્ટીલ સિટીની ઓળખ વધુ મજબૂત બનશે. પરિયોજનાઓ મેક ઈન ઈન્ડિયાના મંત્ર સાથે પશ્ચિમ બંગાળને આગળ વધવા માટે મદદ મળશે. જેનાથી રાજ્યના યુવાનોને માટે રોજગારના ઓપ્શન મળશે.

તેમણે જણાવ્યું હતું કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. અમારો રસ્તો વિકાસથી સશક્તિરણ સુધીનો છે. અમે પશ્ચિમ બંગાળને ભારતની વિકાસ યાત્રાનું મજબૂત એન્જીન બનાવશું.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતમાં ફેરફાર લાવવાનો મુખ્ય હેતુ મુળભુત સુવિધાઓનો વિકાસ છે. 4 કરોડથી વઘારે ગરીબોના પાકા ઘર, ટોયલેટ, નવા હાઈવે, નવા રસ્તાઓ, ઘરે ઘરે પહોંચેલ ઈન્ટરનેટનો લાભ પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોને પણ મળી રહ્યો છે. દુર્ગાપુરની ઘરતી નેશનલ ગેસ ગ્રિડનો ભાગ બની ગઈ છે. જેનાથી હજારો લોકોને રોજગાર પણ મળશે. 




  • Follow us on: