કોર્ટની ટિપ્પણીઓએ કેસને નવો વળાંક આપ્યો છે અને તપાસ એજન્સીઓની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.


કોર્ટની ગંભીર ટિપ્પણીઓ

કોર્ટે જણાવ્યું કે સોનમની ધરપકડ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોમાં ઉલ્લેખિત કાનૂની ધારા અસ્તિત્વમાં જ નથી. પોલીસ દસ્તાવેજોમાં Bharatiya Nyaya Sanhita (BNS) ની કલમ 403(1) દર્શાવવામાં આવી હતી, પરંતુ આવી કોઈ કલમ નથી. અદાલતે આને સામાન્ય ભૂલ નહીં પરંતુ ગંભીર ખામી ગણાવી.

આ ઉપરાંત, હત્યાના કેસ માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 103(1)નો ઉલ્લેખ થયો હતો, પરંતુ ધરપકડ સમયે આ માહિતી આરોપીને આપવામાં આવી નહોતી. કાયદા મુજબ આરોપીને તેની સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થઈ રહી છે તે જણાવવું ફરજિયાત છે, પરંતુ અહીં આ મૂળ પ્રક્રિયા અવગણાઈ હોવાનું જણાયું.

વકીલની સુવિધા ન મળી

કોર્ટ નોંધ્યું કે એવો કોઈ પુરાવો નથી કે સોનમને ધરપકડ બાદ વકીલની મદદ મળી હતી. જ્યારે તેને ગાઝીપુર કોર્ટમાં પહેલીવાર રજૂ કરવામાં આવી, ત્યારે પણ તેને કાનૂની સલાહ મળી કે નહીં તે સ્પષ્ટ નહોતું.

જામીન સાથે શરતો

જોકે કોર્ટે જામીન મંજૂર કર્યા છે, પરંતુ કડક શરતો સાથે. સોનમ રઘુવંશી કોર્ટની મંજૂરી વિના શિલોંગ જિલ્લામાંથી બહાર જઈ શકશે નહીં. કેસ હજુ પૂર્ણ થયો નથી અને તપાસ એજન્સીઓ આ મામલે નજર રાખી રહી છે.

આ પણ વાંચો: Bengal Assembly Election 2026 : બંગાળમાં 142 બેઠકો પર મતદાન , બીજા તબક્કામાં મમતા અને શુભેન્દુની પ્રતિષ્ઠા દાવ પર

  • Follow us on: