ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતે પાકિસ્તાનને એવો પાઠ ભણાવ્યો છે કે તે વર્ષો સુધી યાદ રાખશે. બહાદુર ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કર્યો છે અને 100 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે.


આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. આ હુમલામાં ભારતે એવા હથિયારોનો ઉપયોગ કર્યો કે પાકિસ્તાનના ટુકડા થઈ ગયા.

આ હુમલાઓમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ત્રણેય સેવાઓના સટીક સ્ટ્રાઈક કરનાર હથિયાર પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લોઈટરિંગ શસ્ત્રોનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી છાવણીઓ પર હુમલા અંગે ગુપ્તચર એજન્સીઓએ ઈનપુટ આપ્યા હતા. આ હુમલાઓ ભારતીય ભૂમિથી કરવામાં આવ્યા હતા.

આ મિસાઈલનો ઉપયોગ હુમલામાં થયો

ભારતે સ્કેલ્પ મિસાઈલથી પાકિસ્તાન પર હુમલો કર્યો. આ મિસાઈલ રાફેલ વિમાનથી છોડવામાં આવી હતી. સ્કેલ્પ મિસાઈલની ગતિ મેક પોઈન્ટ 8 છે. તે 560-600 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે. તે દુશ્મનના રડારને ટાળવામાં સક્ષમ છે. સ્કેલ્પ મિસાઈલ 'કિલ વેબ' વ્યૂહરચનાનો એક ભાગ છે. ભારત પાસે 300 થી વધુ સ્કેલ્પ મિસાઈલો છે.

આ હુમલામાં ભારતે સ્ટેન્ડ-ઓફ શસ્ત્રો, ડ્રોન અને દારૂગોળો તેમજ અન્ય શસ્ત્રોનો ઉપયોગ કર્યો હોવાનું માનવામાં આવે છે.

પહલગામ હુમલાનો બદલો

ભારત દ્વારા આ કાર્યવાહી પહલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ આ પગલાં લેવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે એ હકીકત પ્રત્યે પ્રતિબદ્ધ છીએ કે હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે. આ કાર્યવાહી પછી તરત જ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક્સ પર ભારત માતા કી જય પોસ્ટ કરી.

25 મિનિટમાં 21 સ્થળો પર હુમલો

સેનાના જણાવ્યા મુજબ ભારતે રાત્રે 1:05 વાગ્યે હુમલો કર્યો હતો. હુમલો રાત્રે 1.30 વાગ્યે સમાપ્ત થયો. આ 25 મિનિટમાં પાકિસ્તાનમાં 21 સ્થળોએ હુમલા કરવામાં આવ્યા. આતંકવાદીઓના ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતની આ સ્ટ્રાઈકમાં આતંકવાદી મસૂદ અઝહરનો પરિવારનો પણ ખાત્મો થઈ ગયો. તેમના પરિવારના 10 સભ્યો મૃત્યુ પામ્યા છે.

ધર્મ અને નામ પૂછ્યા બાદ મારવામાં આવી ગોળી 

પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ પહલગામમાં લોકોને તેમના નામ અને ધર્મ પૂછ્યા પછી ગોળી મારી દીધી હતી. જે લોકો પર ગોળીબાર થયો હતો તે પ્રવાસીઓ હતા. આ હુમલામાં ખાસ કરીને પુરુષોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલા બાદ ભારતમાં ગુસ્સાનું વાતાવરણ હતું. પાકિસ્તાન સામે કાર્યવાહીની માગ કરવામાં આવી હતી. પીએમ મોદીએ 23 એપ્રિલે તેની શરૂઆત કરી હતી. તેમને સિંધુ જળ સંધિ રદ્દ કરી હતી. આ સિવાય રાજદ્વારી સંબંધો કાપી નાખવામાં આવ્યા હતા. તેમને પાકિસ્તાન સાથેનો વેપાર પણ બંધ કરી દીધો.


  • Follow us on: