• સદનની કાર્યવાહી પહેલા મળી એનડીએ સંસદીય દળની બેઠક
  • પીએમ મોદીએ સાંસદોને આપી સલાહ
  • કહ્યું રાહુલ ગાંધી જેવુ વર્તન આપણે કરવાનું નથી

સદનની કાર્યવાહી પહેલા આજે એનડીએ સંસદીય દળની બેઠક મળી હતી. પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગઇકાલે રાહુલગાંધીએ આપેલા ભાષણનો પીએમ મોદી આજે જવાબ આપવાના છે. ત્યારે પીએમ મોદીએ સદનમાં કેવી રીતે વર્તવુ અને શું કરવુ તેને લઇને બેઠકમાં સાંસદો સાથે ચર્ચા કરી હતી.

દરેક સાંસદ રાષ્ટ્રની સેવા કરવા ચૂંટાયા છે- કિરણ રિજિજૂ

NDA સંસદીય દળની બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે પીએમ મોદીએ અમને એક મંત્ર આપ્યો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ગૃહમાં દરેક સાંસદ રાષ્ટ્રની સેવા કરવા માટે ચૂંટાયા છે. પછી ભલે તેઓ ગમે તે હોય. અમે જે પક્ષના છીએ તે અમારી પહેલી જવાબદારી છે કે NDAના દરેક સાંસદે દેશને પ્રાથમિકતા આપવી જોઈએ તેમના મતવિસ્તારના નિયમો અનુસાર તેમણે અમને અન્ય મુખ્ય મુદ્દાઓમાં કુશળતા વિકસાવવા કહ્યું.

પીએમ મોદીએ આપેલા મંત્રનું પાલન કરીશું - કિરણ રિજિજૂ

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું કે NDAના સાંસદોએ સંસદના નિયમો, સંસદીય લોકશાહી પ્રણાલી અને આચરણનું પાલન કરવું એ એક સારા સંસદસભ્ય બનવા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનુ આ માર્ગદર્શન તમામ સાંસદો તેમજ ખાસ કરીને પ્રથમ વખતના સાંસદો માટે સારો મંત્ર છે. એટલે અમે આ નિયમનું પાલન કરવાનો નિર્ણય લીધો છે.

પીએમ મોદીએ સાંસદોને આપી સલાહ

પીએમ મોદીએ NDA સંસદીય દળની બેઠકમાં સાંસદોને સલાહ આપી હતી. સંસદીય કિરણ રિજિજુએ જણાવ્યું કે પીએમ મોદીએ NDA સાંસદોની બેઠકમાં કહ્યું કે રાહુલ ગાંધીની ભાષા યોગ્ય નથી. આપણે સંસદમાં આવું વર્તન ન કરવું જોઈએ. કિરેન રિજિજુએ લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા પર પીએમ મોદીના જવાબ વિશે પણ માહિતી આપી.


  • Follow us on: