વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વિશાખાપટ્ટનમમાં વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો અને રૂ. 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રેલ્વે ઝોનમાં પુડીમાડાકા અને અનાકાપલ્લે જિલ્લામાં એનટીપીસીના ઈન્ટિગ્રેટેડ ગ્રીન હાઈડ્રોજન હબનો શિલાન્યાસ કર્યો. PM મોદીએ રેલ અને રોડ ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ હાજર હતા.


2024માં સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ પીએમ મોદીની આ રાજ્યની પ્રથમ મુલાકાત હતી. આંધ્રપ્રદેશમાં ટીડીપી, ભાજપ અને જનસેનાના બનેલા એનડીએ ગઠબંધને કેન્દ્ર સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે આપણો આંધ્ર પ્રદેશ સંભાવનાઓ અને તકોનું રાજ્ય છે. જ્યારે આંધ્રની આ ક્ષમતાનો અહેસાસ થશે, ત્યારે આંધ્ર પણ વિકસિત થશે અને તો જ ભારત પણ એક વિકસિત રાષ્ટ્ર બનશે, તેથી આંધ્રનો વિકાસ એ આપણું વિઝન છે. આંધ્રની જનતાની સેવા, આ અમારો સંકલ્પ છે.તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશ તેની નવીન પ્રકૃતિને કારણે આઈટી અને ટેક્નોલોજીનું એક મોટું હબ છે. હવે સમય આવી ગયો છે કે, આંધ્રને નવી ભવિષ્યવાદી ટેકનોલોજીનું કેન્દ્ર બનવું જોઈએ.

2047 સુધીમાં 2.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય

તેમણે કહ્યું કે આંધ્ર પ્રદેશે 2047 સુધીમાં રાજ્યને 2.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ચંદ્રબાબુ નાયડુની સરકારે સ્વર્ણ આંધ્ર 2047ની શરૂઆત કરી છે. આમાં કેન્દ્રની એનડીએ સરકાર રાજ્યને સંપૂર્ણ સહયોગ આપશે. તેથી કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના પ્રોજેક્ટ આપવામાં આંધ્રપ્રદેશને પ્રાથમિકતા આપી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે અમે સમુદ્ર સંબંધિત તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે મિશન મોડમાં બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આંધ્રમાં માછીમારી સાથે સંકળાયેલા અમારા ભાઈ-બહેનોની આવક અને ધંધો વધવો જોઈએ... અમે આ દિશામાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહ્યા છીએ. અમે માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ પૂરી પાડી છે. અમે સમુદ્રમાં સલામતી માટે પણ મહત્વપૂર્ણ પગલાં લઈ રહ્યા છીએ.

  • Follow us on: