- 1500 કરોડ રૂપિયાની 84 યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન
- 21 જૂને શ્રીનગરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે
- 15 લાખ લોકોને આ યોજનાઓથી થશે ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 જૂને જમ્મૂ કાશ્મીરના પ્રવાસે જશે. સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશનો આ પ્રથમ પ્રવાસ હશે. આ પહેલા તે માર્ચમાં ગયા હતા. બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી જમ્મૂ કાશ્મીરના યુવાઓની મુલાકાત લેશે. સાથે જ જમ્મૂ કાશ્મીરના લોકોને ઘણી ભેટ આપશે. વડાપ્રધાન યુવાઓને સશક્ત બનાવવા અને જમ્મૂ કાશ્મીરમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે વડાપ્રધાન મોદી ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડાપ્રધાન મોદી તેમના પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 20 જૂનની સાંજે 6 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર પહોંચશે. ત્યાં તેઓ યુવાનોને સશક્ત બનાવવા, જમ્મૂ કાશ્મીરને બદલવાના કાર્યક્રમમાં ભાગ લેશે. કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટનો પણ (JKCIP) પણ શુભારંભ કરશે. વડાપ્રધાન મોદી 2000થી વધારે લોકોને નિમણુંક પત્ર પણ આપશે.













