- મંદિર પર રાજનીતિ કરનારાઓને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જડબાતોડ જવાબ
- "ભગવાન રામ રાજકારણનો વિષય નથી, ઉદ્ઘાટન સમારોહનું રાજકારણ કરવું મૂર્ખતા"
- ધર્મથી રાજનીતિ ચાલે છે, ધર્મ રાજનીતિથી નથી ચાલતું: ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા મંદિર પર રાજનીતિ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શુક્રવારે કહ્યું કે, ભગવાન રામ રાજકારણનો વિષય નથી. ઉદ્ઘાટન સમારોહનું રાજકારણ કરવું મૂર્ખતા છે.
જ્યારે બાગેશ્વર ધામ સરકાર તરફથી પ્રખ્યાત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે વિપક્ષ દાવો કરી રહ્યો છે કે, PM મોદી રામ મંદિરના નિર્માણનો શ્રેય લઈ રહ્યા છે, તો તેમણે કહ્યું કે, ભગવાન રામ રાજકારણનો વિષય નથી. ધર્મથી રાજનીતિ ચાલે છે, ધર્મ રાજનીતિથી નથી ચાલતું. દેશની જનતા સૂતી નથી, જાગી છે. તેઓ બધું જોઈ શકે છે.













