• દિલ્હી લિકર કેસ મામલે કેજરીવાલની ધરપકડ
  • 'INDIA'ના નેતાઓ ચૂંટણી પંચને કરશે રજૂઆત
  • બેઠકમાં કેજરીવાલની ધરપકડ મામલે ચર્ચા કરાશે

દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને વિપક્ષી ગઠબંધન 'INDIA'ના નેતાઓ ચૂંટણી પંચને મળશે. કેજરીવાલની ધરપકડ મામલે બેઠક યોજાશે. 

મળતી માહિતી મુજબ, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. કેજરીવાલની કોર્ટમાં હાજરીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેવામાં અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને વિપક્ષી ગઠબંધન 'INDIA'ના નેતાઓ ચૂંટણી પંચને મળીને બેઠક કરશે. બેઠકમાં કેજરીવાલની ધરપકડ મામલે ચર્ચાઓ કરવામાં આવશે.

કોંગ્રેસ, TMC, DMK અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિત અનેક પક્ષો, ભાજપ વિરુદ્ધ એકજૂથ થયેલા વિપક્ષી ગઠબંધન 'INDIA'માં સામેલ છે, તેમણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને કેન્દ્રમાં મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે કહ્યું હતું કે I.N.D.I.A યોગ્ય જવાબ આપશે. પક્ષોને તોડી પાડવા, કંપનીઓ પાસેથી નાણાં પડાવવા, મુખ્ય વિરોધ પક્ષના ખાતા ફ્રીઝ કરવા એ 'રાક્ષસી શક્તિ' માટે પૂરતું નહોતું, હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીની ધરપકડ કરવી એ પણ સામાન્ય બાબત બની ગઈ છે. ભારત આનો જડબાતોડ જવાબ આપશે. તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિને કેજરીવાલની ધરપકડની પણ નિંદા કરી અને તેને વિપક્ષની 'સતત હેરાનગતિ'નો એક ભાગ ગણાવ્યો.


  • Follow us on: