ઇશા ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.  વર્ષ 2015માં સંયુક્ત રાષ્ટ્રસંઘે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 


સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત 177 દેશોએ આ પ્રસ્તાવને સહ-પ્રાયોજિત કર્યો હતો. આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રના કોઈપણ પ્રસ્તાવને આવો વ્યાપક સમર્થન મળ્યો ન હતો. તેનું મહત્વ માત્ર કેટલાક લોકો દ્વારા શરીરને વાળવા-મોડવાની કસરત કરતાં ઘણું વધારે છે. તે માનવ ઇતિહાસના એક મહત્વપૂર્ણ વળાંક પર આવ્યો છે. આજે યોગનું વિજ્ઞાન પહેલાથી પણ વધુ પ્રાસંગિક બન્યું છે.

આપણે હંમેશા માનતા આવ્યા છીએ કે સમૃદ્ધિ આવશે તો લોકો સ્વસ્થ રહેશે

આપણે હંમેશા માનતા આવ્યા છીએ કે સમૃદ્ધિ આવશે તો લોકો સ્વસ્થ રહેશે. પરંતુ આજે તમે જોશો કે સૌથી સમૃદ્ધ દેશો જ સૌથી વધુ બીમારીઓથી પીડિત છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં લોકો પાસે પોષણ માટે અસંખ્ય વિકલ્પો છે, છતાં તેઓ આરોગ્ય સેવાઓ પર દર વર્ષે પાંચ ટ્રિલિયન ડોલરથી વધુ ખર્ચ કરે છે. આ પ્રકારનો ખર્ચ કોઈપણ દેશને આર્થિક રીતે નબળો પાડી શકે છે. દુર્ભાગ્યે, અન્ય દેશો પણ ઝડપથી આ જ માર્ગે આગળ વધી રહ્યા છે. જેમ જેમ આર્થિક સમૃદ્ધિ વધે છે, તેમ તેમ અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ વધવા લાગે છે.

આજની પેઢીને સુવિધાઓ અને આરામ મળ્યા છે

આજની પેઢીને જે સુવિધાઓ અને આરામ મળ્યા છે, તે અગાઉની કોઈ પણ પેઢીને મળ્યા નહોતા. છતાં આપણે એવું કહી શકતા નથી કે આપણે ઇતિહાસની સૌથી ખુશહાલ અથવા પ્રેમાળ પેઢી છીએ. ઘણા લોકો સતત તણાવ, ચિંતા અને અશાંતિમાં જીવન જીવી રહ્યા છે. કેટલાક લોકો પોતાની નિષ્ફળતાઓથી પીડાય છે, જ્યારે ઘણા લોકો પોતાની સફળતાના પરિણામોથી પણ દુઃખી છે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓથી પરેશાન છે તો કેટલાક પોતાની સ્વતંત્રતાથી. આવી સ્થિતિમાં યોગ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આંતરિક સુખાકારીનું વિજ્ઞાન છે યોગ

યોગ એક તકનીક છે, એક એવું સાધન છે જે માણસને પોતાની અંદર વળવા અને પોતાની ખુશી જાતે સર્જવામાં મદદ કરે છે. તમારી ખુશી બહારથી આવતી નથી. તમે તેને જાતે બનાવો છો અથવા તો બનાવતા નથી. આ જ યોગનો મૂળભૂત સિદ્ધાંત છે. જેમ બાહ્ય સુખાકારી માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે, તેમ આંતરિક સુખાકારી માટે પણ એક વિજ્ઞાન અને પદ્ધતિ ઉપલબ્ધ છે.

દરેક વ્યક્તિના જીવનમાં યોગને સામેલ કરવાથી આરોગ્ય અને સુખાકારી મેળવવાની સરળ પરંતુ શક્તિશાળી પ્રક્રિયા ઉપલબ્ધ થાય છે. યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતો મર્યાદિત નથી. દુનિયા આધુનિક બનતી જાય છે તેમ માનસિક બીમારીઓ પણ ઝડપથી વધી રહી છે. માનવીય સંબંધો અને સામાજિક જોડાણો નબળા પડી રહ્યા છે, જેના કારણે લોકો માનસિક અને ભાવનાત્મક રીતે તૂટી રહ્યા છે. લોકો ચિંતિત, બેચેન અને પરેશાન છે. પોતાની આંતરિક ઉથલપાથલને સંભાળવા માટે તેઓ અનેક ઉપાયો અજમાવી રહ્યા છે, જેનાથી થોડી રાહત તો મળે છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ મળતો નથી. તેથી યોગ તરફ વળવું એક ખૂબ જ સ્વાભાવિક અને જરૂરી પગલું બની ગયું છે.

  • Follow us on: