• મીઠા વિનાના વ્રતમાં સ્ટેમિના જળવાઈ રહે તે જરૂરી
  • માવાની મદદથી બનશે ઝડપથી બની જશે માવા બરફી
  • અલૂણા વ્રતમાં આ બરફી કરશે દીકરીઓની મદદ

આજથી એટલે કે અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વ્રત ખાસ કરીને મનગમતો વર મેળવવા માટે કરવામાં આવે છે. કુંવારી કન્યાઓ આ વ્રત 5 દિવસ માટે કરે છે અને ખાસ કરીને આ વ્રત અલૂણા એટલે કે મીઠાના ઉપયોગ વિનાના હોય છે. આ સમયે તમારે સતત સ્ટેમિના જળવાઈ રહે તેનું ધ્યાન રાખી લેવું જરૂરી છે. તો જાણો ઘરે ઝડપથી માવાની મિઠાઈ કેવી રીતે કરશો તૈયાર.

માવા બરફી

સામગ્રી

-દોઢ કપ મોળો માવો

-અડધો કપ ખાંડ

-બે ટીસ્પૂન ઘી

-થોડા પિસ્તા

રીત

સૌપ્રથમ માવાને રૂમ ટેમ્પરેચર પર લાવી દો. હવે એ માવાને હાથેથી મસળીને ભૂકો કરી લો. ત્યારબાદ તેમાંથી દોઢ કપ જેટલો માપીને લઈ લો. પિસ્તાની પણ કતરણ કરી લો. તમે ઈચ્છો તો તેને ખાંડી પણ શકો છો. મિક્સરમાં ક્રશ ના કરતા નહીં તો વધારે ઝીણા થઈ જશે. હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં માવો ઉમેરીને શેકો. ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો. શેકાયા બાદ માવો પ્રમાણમાં ઓછો થઈ જશે. આ દરમિયાન ખાંડમાં ત્રણ ટીસ્પૂન જેટલું પાણી ઉમેરીને તેને ચારથી પાંચ મિનિટ માટે ઉકાળો. ત્યારબાદ આ ચાસણી શેકેલા માવામાં ઉમેરી દો. ધીમા તાપે આ બરફીને હલાવતા રહો. પાણી ઓગળતા ત્રણથી ચાર મિનિટ લાગશે. બસ ત્યારબાદ આ મિશ્રણને ઘી લગાવેલી ડિશમાં પાથરી દો. અને એના પર પિસ્તા પાથરીને દબાવી દો. થોડું ઠંડું થાય એટલે તેને કટ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બરફી. ઘરે બનાવેલી સ્વાદિષ્ટ અને હેલ્ધી મિઠાઈ ગોરમાને દિવસ દરમિયાન ખાવામાં મદદ કરશે. 

  • Follow us on: