• તાડાસન કમર અને પગને કરે છે મજબૂત
  • સમય મળતા જ યોગ નિંદ્રા અભ્યાસ કરે છે
  • ભદ્રાસન અને ત્રિકોણાસન પણ કરે છે મદદ

PM Modiનું નામ વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં લેવાય છે. વડાપ્રધાન મોદી 72 વર્ષના છે પરંતુ ફિટનેસના મામલે તેઓ કોઈથી ઓછા નથી. પીએમ મોદીની ફિટનેસના દરેક લોકો ચાહક છે. વડાપ્રધાન યોગથી પોતાને ફિટ રાખે છે. આજે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના મોટા નેતાઓ યોગાસનોથી પોતાને સ્વસ્થ રાખે છે. પીએમ મોદીની દિનચર્યામાં યોગ ચોક્કસપણે સામેલ છે. પરંતુ શું તમે જાણો છો કે કયા યોગાસનોથી પીએમ મોદી પોતાને તણાવમુક્ત રાખે છે.

પીએમ મોદી રોજ તાડાસન કરે છે

પીએમ મોદી સ્વસ્થ રહેવા માટે દરરોજ તાડાસન કરે છે. આ જાણકારી પીએમ મોદીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી હતી. તાડાસન કરોડરજ્જુને ખેંચે છે અને પગને પણ મજબૂત બનાવે છે. તેનાથી શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહે છે.

યોગ નિદ્રા સાથે તણાવમુક્ત રહો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ નિદ્રા દ્વારા પોતાને તણાવમુક્ત રાખે છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું- જ્યારે પણ સમય મળે છે ત્યારે તેઓ યોગ નિદ્રાનો અભ્યાસ કરે છે. આના કારણે શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે મન તણાવ અને ચિંતાઓથી મુક્ત રહે છે. પીએમ યોગ નિદ્રા સાથે જોડાયેલા વીડિયો પણ શેર કરતા રહે છે.

 

ત્રિકોણાસન કમરને મજબૂત બનાવે છે

પીએમ મોદી દરરોજ ત્રિકોણાસન પણ કરે છે. આ આસન કરવાથી પીઠના સ્નાયુઓ મજબૂત બને છે. આ સિવાય ત્રિકોણાસન કરવાથી છાતી અને કરોડરજ્જુને પણ ફાયદો થાય છે.

ભદ્રાસન શરીર માટે ફાયદાકારક છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભદ્રાસનને પોતાની દિનચર્યામાં સામેલ કરે છે. ભદ્રાસન વિશે ટ્વિટ કરતાં પીએમ મોદીએ લખ્યું- આનાથી આપણું શરીર મજબૂત રહે છે અને મન સ્થિર રહે છે. આ એકાગ્રતા એટલે કે ફોકસ વધારવામાં પણ મદદ કરે છે. આ સિવાય પીએમ મોદી ઉસ્ત્રાસન પણ કરે છે. તેનાથી શરીર લચીલું રહે છે. આ આસનથી ખભા અને પીઠ બંને મજબૂત બને છે.

  • Follow us on: