સુંદર ત્વચા હોવા છતાં કયારેક ચહેરા પરનું તેજ ગાયબ હોય છે. ત્વચાની ચમક દૂર થવાના અનેક કારણો હોઈ શકે છે. સામાન્ય કારણોમાં ત્વચા પ્રદૂષણયુક્ત હવાના કણમાં સંપર્કમાં આવે છે, તેમજ માનસિક તણાવ, કોઈ એલર્જી અથવા તો ત્વચાની કેર ના કરાતા ચહેરાની સુંદરતા ઝાંખી પડે છે. બ્યુટી નિષ્ણાતે ત્વચામાં નિખાર લાવવા સરળ ટીપ્સ આપી છે જેને ફોલો કરવાથી ચહેરા પર જાદુઈ અસર દેખાશે.
બ્યુટિ એક્સપર્ટની ટીપ્સ : ફક્ત ગોરા લોકો જ સુંદર હોય તેવું નથી. ભારતમાં મોટાભાગના લોકોની સ્કીન ઘંઉવર્ણી એટલે કે મિશ્ર ત્વચા હોય છે. એટલે જો યોગ્ય રીતે સ્કીન કેર કરવામાં આવે તો ચહેરામાં નિખાર આવશે. આ માટે સવારે પથારીમાં ઉઠ્યા પછી તરત જ તમે સાદા પાણીથી ચહેરો ધોઈ નાખો. ત્યારબાદ બીજું કામ નરમ હાથે કોઈપણ ફેશવોશ લઈ ચહેરા પર મસાજ કરો. અને ફેસવોશનો ઉપયોગ કર્યા બાદ પછી હળવું ટોનર લગાવો. ત્રીજું કામ મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન લગાવવાનું છે.













