શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ ગયો છે. શ્રાવણ મહિનાની સાથે જુદા-જુદા તહેવાર પણ આ દિવસોમાં આવે છે. તહેવાર હોય અને ઘરમાં મીઠાઈ એટલે ગળ્યું શું બનાવું તેને લઈને મહિલાઓને મૂંઝવણ રહે છે. કારણ કે આજે નોકરી કરતી મહિલાઓ ભોજનમાં મીઠાઈની વાનગી બનાવવા વધુ સમય આપી શકતી નથી. ઘંઉમાંથી બનતા લાડવા, મગજના લાડુ તેમજ દૂધીની હલવામાં વધુ સમય જાય છે. આજે તમને ઓછા સમયમાં મીઠાઈની વાનગીમાં ખીર બનાવવાની રેસીપી જણાવીશું.


ખીર બનાવવા માટેની સામગ્રી : આ વાનગી બનાવવા તમે ઇલાયચી પાવડર, કેસર, પિસ્તા, બદામ જેવા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરો.

  • 1 લિટર દૂધ (ફુલ ક્રીમ)
  • 1/5 ચોખા (અડધો કપ પલાળેલા ચોખા)
  • 1/5 ખાંડ (સ્વાદ મુજબ)
  • 1 ચમચી ઘી

ખીર બનાવવા માટેની રીત :

  • ખીરની વાનગી બનાવવા સૌ પ્રથમ એક જાડા વાસણમાં દૂધ ગરમ કરો. (દૂધ આ વાસણમાં નાખો તે પહેલા તેમાં નીચેની બાજુ ઘી લગાવી દો જેથી દૂધ ચોંટે નહી.) દૂધ ઉકળવા લાગે ત્યારે
  • તેમાં અડધોકપ પલાળેલા ચોખા ઉમેરો. ત્યારબાદ ફરી દૂધની ધીમા તાપે ઉકાળો. જેથી અંદર નાખેલા ચોખા સરખી રીતે રંધાઈ જાય. ચોખા નાખ્યા બાદ વચ્ચે વચ્ચે દૂધ હલાવતા રહો.
  • જ્યારે ચોખા નરમ થઈ જાય અને દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં તમે ઇલાયચી પાઉડર અને કેસર નાખો. (કેસર નાખતા પહેલા તેને ગરમ દૂધમાં પલાળી દેવું) પછીથી 5 થી 7 મિનિટ તેને ગરમ થવા દો પછી ગેસ બંધ કરી દો. આ ખીરમાં ગેસ બંધ કર્યા બાદ સમારેલી બદામ અને પિસ્તા ઉમેરો. તૈયાર થઈ ગઈ તમારી ખીર.
  • ચોખામાંથી બનતી આ ખીરમાં કેટલાક લોકો બીજી રીતે પણ બનાવે છે. તેઓ પહેલા ચોખા ઘીમાં શેકી લે છે અને પછી થોડું પાણી નાખી ભાતની જેમ અધકચરા ચઢવે છે અને પછી દૂધ ઉકળે એટલે તેમાં નાખી દે છે. તમે આ રીતે પણ ખીર બનાવી શકો છો. આમ, કરવાથી સમયની બચત પણ થશે.

  • Follow us on: