વરસાદી સિઝનમાં રસોડું હોય કે બાથરૂમ વંદાઓનું ઘરમાં રાજ હોય છે. અને ગૃહિણીઓ વંદાથી પરેશાન થઈ તેને દૂર કરવા અનેક ઉપાયો કરે છે. વંદા અને ઘરના રસોડામાં વારંવાર જોવા મળતા નાના કિટાણું પરિવારના સભ્યોની બીમારીનું કારણ બને છે. મોંઘા કેમિકલ સ્પ્રે અને પાવડરનો ઉપયોગ કર્યા બાદ વંદા ઘરમાંથી જવાનું નામ લેતા નથી. ત્યારે વંદાથી કાયમી છુટકારો મેળવવા એક જોરદાર ઘરેલુ ઉપાય જણાવીશું.


રસોડાના એક મસાલાથી ભાગશે વંદા

ઘણા લોકો જીવદયાના કારણે વંદા અને નાના કીટાણુને મારવાનું યોગ્ય સમજતા નથી. એટલે તેઓ બજારમાં વંદાને મારવા મળતી દવાનો ઉપયોગ કરતા નથી. આવા લોકો માટે વંદાને ઘરમાંથી દૂરકરવા આ ઘરેલુ ઉપાય વધુ ઉપયોગી બનશે. રસોડાના મસાલા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જ્યારે તજ, લવિંગ અને તમાલપત્ર જેવા મસાલાનો ગરમ મસાલામાં ઉપયોગ થાય છે. પંજાબી શાક અથવા વાનગીને વધુ ટેસ્ટી અને મસાલેદાર બનાવવા ગરમમસાલાનો ઉપયોગ થાય છે. તમાલપત્ર એવો ગરમ મસાલો છે જેની ગંધ માત્રથી વંદા દૂર ભાગે છે.

તમાલપત્રની તીવ્ર ગંધથી ભાગશે વંદા

તમાલપત્ર કે જેને ખાડી પર્ણ પણ કહે છે તેમાં કુદરતી ગંધ એટલી તીવ્ર હોય છે કે વંદા તે બિલકુલ સહન કરી શકતા નથી. તમાલપ્રત્રમાંથી આવતી આ તીવ્ર ગંધને કારણે વંદા તો શું નાના જંતુઓ પણ ભાગી જાય છે અને ફરીથી ઘરમાં આવવાનું ટાળે છે. આ જ કારણ છે કે તેને ઘરેલું ઉપાયોમાં સૌથી અસરકારક માનવામાં આવે છે. આ માટે સૂકા તમાલપત્રને રસોડામાં, સિંક પાસે, કબાટ પાસે, સ્ટોર રૂમ પાસે અને એવી જગ્યાએ રાખો જ્યાં વંદા વધુ આવે છે.અથવા તેનો પાઉડર બનાવી તે સ્થાન પર સ્પ્રે કરી શકો છો. પાણીમાં તમાલપત્ર ઉકાળો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરના ખૂણામાં સ્પ્રે કરો.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: