ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવેલી આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) આજથી સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી આયોગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે.
ક્યાં આચારસંહિતા યથાવત રહેશે?
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાંથી નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ ટેકનિકલ કારણોસર અથવા બાકી રહેલી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને માત્ર 3 બેઠકો પર આચારસંહિતાનો અમલ યથાવત રહેશે. જેમાં ચિતરીયા (જિલ્લો સાબરકાંઠા), અસ્તાન (જિલ્લો સુરત) અને દહેગામ (જિલ્લો ગાંધીનગર)નો સમાવેશ થાય છે













