ભારતીય ટીમ 31 જુલાઈના રોજ ઈંગ્લેન્ડના પ્રવાસ પર કેનિંગ્ટન ઓવલ મેદાન પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ રમશે. આ સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાંથી ઈંગ્લેન્ડ 2 જીતવામાં સફળ રહ્યું છે અને ટીમ ઈન્ડિયા એક મેચ જીતી છે, જ્યારે માન્ચેસ્ટર મેદાન પર રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચનું પરિણામ ડ્રો રહ્યું છે.


આ પરિસ્થિતિમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા ઓવલ ટેસ્ટ મેચ જીતીને સિરીઝનો અંત ડ્રો પર કરવાનો પ્રયાસ કરશે. જ્યારે ઈંગ્લેન્ડ આ મેચ માટે પહેલાથી જ તેના પ્લેઈંગ 11 ની જાહેરાત કરી ચૂક્યું છે, ત્યારે ફેન્સની નજર ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 પર પણ છે, જેમાં અર્શદીપ સિંહ ટેસ્ટ ડેબ્યૂ કરે તેવી શક્યતા છે, જેના વિશે કેપ્ટન શુભમન ગિલે પણ પોતાના નિવેદનથી લગભગ સ્પષ્ટ કરી દીધું છે.

અર્શદીપ સિંહને તૈયાર રહેવા કહેવામાં આવ્યું

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઓવલ ટેસ્ટ મેચમાં ગ્રીન ટોપ વિકેટ હશે, જે ફાસ્ટ બોલરોને ઘણી મદદ કરી શકે છે. આ કારણે ઈંગ્લેન્ડે તેમની પ્લેઈંગ 11માં ચાર મુખ્ય ફાસ્ટ બોલરોને સ્થાન આપ્યું છે. મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલને અર્શદીપ સિંહ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે અર્શદીપ સિંહને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે, જેમાં અમે આજે સાંજે પિચ જોયા પછી પ્લેઈંગ 11 પર અંતિમ નિર્ણય લઈશું.

ઈંગ્લેન્ડે તેમની ટીમમાં એક પણ સ્પેશિયાલિસ્ટ સ્પિનરનો સમાવેશ કર્યો નથી, જેકબ બેથેલ અને જો રૂટ તરફથી સ્પિન બોલિંગ મળશે. અમારી પાસે સ્પિનમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બંને છે, જેમને આ સિરીઝમાં અત્યાર સુધી બેટ અને બોલ સાથે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.

અર્શદીપ સિંહનું ફર્સ્ટ ક્લાસ કરિયર

મર્યાદિત ઓવરના ફોર્મેટમાં અર્શદીપ સિંહનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે, પરંતુ હવે તે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. જો આપણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અર્શદીપ સિંહના રેકોર્ડ પર નજર કરીએ તો, તેને 21 મેચ રમી છે, જેમાં તેને 37 ઈનિંગમાં 30.37 ની એવરેજથી 66 વિકેટ લીધી છે, જેમાં તેનું એક ઈનિંગમાં બેસ્ટ પ્રદર્શન 40 રનમાં 6 વિકેટ છે. અર્શદીપ સિંહને કાઉન્ટી ક્રિકેટ રમીને ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓનો પણ અનુભવ છે, જેમાં તે કેન્ટ ટીમ માટે રમે છે.


  • Follow us on: