નીતિશ રાણા પોતાની ટીમ બદલવાની તૈયારી કરી રહ્યો છે. આ અંગે અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. જે છેલ્લા કેટલાક વર્ષોથી યુપી ટીમ માટે પોતાનું સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો હતો, પરંતુ હવે તે ફરીથી દિલ્હી જવા માંગે છે. તે આ પહેલા પણ દિલ્હી માટે રમી ચૂક્યો છે.
યુપીશી ફરી દિલ્હી જવા માગે છે નીતિશ રાણા
નીતિશ રાણાએ છેલ્લા બે વર્ષ પહેલા જ દિલ્હી છોડીને યુપી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હવે લાગે છે કે તેને યુપી માટે રમવું નથી. હવે તે ફરીથી તેના મૂળ રાજ્ય દિલ્હી પરત જવા માગે છે. મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ રાણાએ ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ પાસેથી એનઓસી મળી ગઈ છે. આગામી સિઝનમાં જ્યારે તે ડોમેસ્ટિક ક્રિકેટ રમશે તો તે દિલ્હી તરફથી રમશે.
નીતિશ રાણાને યુપી પાસેથી મળી ગઈ છે એનઓસી
રિપોર્ટમાં યુપીસીએ તરફથી કહેવામાં આવ્યું છે કે નીતિશ રાણાએ એનઓસી માગી હતી, જે તેને આપવામાં આવી છે. જ્યારે ટીમ બદલવાના કારણ વિશે પૂઠવામાં આવ્યું તો તેને પારિવારિક કારણ બતાવ્યું.
આ વચ્ચે ડીડીસીએના સચિવે પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે યુપી તરફથી તેને એનઓસી મળી ગઈ છે, પરંતુ ડીડીસીએ ને હજુ સુધી મળી નથી. જ્યારે એનઓસી મળી જશે, ત્યારબાદ જ નીતિશ રાણાના રમવાના લઈને કંઈ કહી શકાશે.
IPLમાંથી બહાર થઈ ગયો હતો નીતિશ રાણા
નીતિશ રાણાનું ફોર્મ બહુ સારું નથી ચાલી રહ્યું. ઘરેલુ ક્રિકેટ સિવાય તેને IPLમાં થોડી જ સારી ઈનિંગ્સ રમી બાકી તો તે નિષ્ફળ ગયો. પરંતુ થોડા સમય પછી તે ઈજાગ્રસ્ત થયો અને બહાર થઈ ગયો. આ વર્ષે નીતિશ રાણા IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો હતો.
નીતિશ રાણાએ રાજસ્થાન માટે 11 ઈનિંગ્સમાં 217 રન બનાવ્યા, જેમાં બે અડધી સદી પણ સામેલ છે. નીતિશ રાણાનું નામ UP T20 લીગ માટે પણ સામેલ કરવામાં આવ્યું નથી. હવે તે લગભગ નિશ્ચિત છે કે રાણા દિલ્હી તરફથી રમશે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તે કેવું પ્રદર્શન કરે છે તે જોવા માટે નજર તેના પ્રદર્શન પર રહેશે.