મનીષ પાંડે એ ખેલાડીઓમાંથી એક છે જે IPLની શરૂઆતથી જ રમી રહ્યો છે. એ વાત સાચી છે કે તે આજકાલ મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ જ્યારે તે મેદાન પર જોવા મળે છે, ત્યારે તે પોતાની છાપ છોડી જાય છે.
બુધવારે RCB વિરુદ્ધ KKR મેચમાં મનીષ પાંડેએ એક એવો કેચ પકડ્યો જેને દુનિયાને સ્તબ્ધ કરી દીધી. વિરાટ કોહલી પણ આશ્ચર્યચકિત થઈ ગયો.
મનીષે આ સિઝનમાં એક પણ વાર બેટિંગ કરી નથી
બુધવારે રાયપુરમાં RCB અને KKR વચ્ચે IPL મેચ રમાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા. મનીષ પાંડે આ વર્ષે IPLમાં KKR તરફથી રમી રહ્યો છે.
મનીષ પાંડેએ આ વર્ષે અત્યાર સુધી ફક્ત 3 મેચ રમવાની તક મળી છે, પરંતુ એક પણ વાર બેટિંગ કરી નથી. પરંતુ જ્યારે પણ જરૂર પડે છે, ત્યારે તે મેદાનમાં આવે છે અને ફિલ્ડિંગ કરે છે. હકીકતમાં મનીષ પાંડે ફિલ્ડિંગ માટે KKRની પહેલી પસંદગી છે. આનું કારણ સ્પષ્ટ છે.
મનીષે ટિમ ડેવિડનો શાનદાર કેચ પકડ્યો
મેચ દરમિયાન મનીષ પાંડેએ RCB ના ખતરનાક બેટ્સમેન ટિમ ડેવિડનો લગભગ અશક્ય કેચ પકડ્યો. ડેવિડ 3 બોલમાં ફક્ત 2 રન બનાવી શક્યો. આ કેચ કાર્તિક ત્યાગીની બોલિંગમાં લેવામાં આવ્યો, જેનાથી કાર્તિક ત્યાગી અને બીજા છેડે ઉભેલા વિરાટ કોહલી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. મનીષ પાંડેએ બેકવર્ડ પોઈન્ટ પર શાનદાર કેચ પકડ્યો. જ્યારે આ સિઝનમાં ઘણા કેચ લેવામાં આવ્યા છે, ત્યારે ચર્ચા થઈ રહી છે કે શું આ સિઝનનો બેસ્ટ કેચ છે.
આ વર્ષનો બેસ્ટ કેચ હોઈ શકે છે
ટિમ ડેવિડે ઓફ સ્ટમ્પ પર બેકફૂટથી કટ માર્યો. એવું લાગતું હતું કે તે બાઉન્ડ્રીની પર જશે, પરંતુ મનીષ વચ્ચે આવ્યો. તેને ડાબી બાજુ ફુલ લેન્થ ડાઈવ કરી અને એક હાથે શાનદાર કેચ પકડ્યો. બોલ લગભગ તેની પાસેથી પસાર થઈ ગયો, છતાં મનિષે તેને ડાબા હાથની હથેળીથી પકડ્યો. એટલું જ નહીં, તેને ખાતરી પણ કરી કે બોલ જમીન પર ન પડે.
આ પછી ઓન-ફિલ્ડ એમ્પાયરે થર્ડ એમ્પાયરનો સંપર્ક કરીને નક્કી કર્યું કે તે વાજબી કેચ છે કે નહીં, પછી જાણવા મળ્યું કે તેમાં કોઈ ભૂલ ન હતી. આ પછી વિરાટ કોહલીએ જઈને મનીષ પાંડેને ગળે લગાવ્યો અને પોતાની રમતગમતની ભાવના દર્શાવી.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?