• દાનિશ કનેરિયાએ ટીમમાં થતા ભેદભાવ અંગે કર્યો ખુલાસો
  • દાનિશ કનેરિયા પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂક્યો છે
  • કનેરિયાએ ઈન્ઝમામ અને શોએબ અખ્તરના વખાણ કર્યા

પાકિસ્તાનના પૂર્વ સ્પિન બોલર દાનિશ કનેરિયા આ દિવસોમાં ચર્ચામાં છે. તે પોતાની યુટ્યુબ ચેનલ માટે ક્રિકેટની દુનિયામાં ચાલી રહેલી બાબતોની ચર્ચા કરતો રહે છે. હાલમાં જ દાનિશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે દુર્ગા પૂજાની અષ્ટમી પર પૂજા કરતો જોવા મળ્યો હતો. દાનિશની પૂજા ખાસ હતી કારણ કે તે પાકિસ્તાનમાં દુર્ગા પૂજા કરતો હતો.

દાનિશે કર્યો મોટો ખુલાસો

દાનિશ કનેરિયા પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. દાનિશે હવે એક નવો ખુલાસો કર્યો છે, જેમાં તેણે પાકિસ્તાની ટીમમાં ભેદભાવનો ખુલાસો કર્યો છે. દાનિશે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેને પાકિસ્તાની ટીમમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. અહેવાલ મુજબ, દાનિશ કનેરિયાએ સ્વીકાર્યું છે કે તે હિન્દુ હોવાને કારણે ટીમમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે તેને ટીમમાંથી માત્ર એટલા માટે પડતો મુકવામાં આવ્યો કે તે હિંદુ છે.

ઈન્ઝમામ અને શોએબે દાનિશને સપોર્ટ કર્યો

આ પૂર્વ પાકિસ્તાની સ્પિન બોલરના કહેવા પ્રમાણે, શાહિદ આફ્રિદીએ તેને ઘણો પરેશાન કર્યો હતો. દાનિશે જણાવ્યું કે તેને દરરોજ સવારે નમાઝ પઢવા માટે ફોન આવતા હતા. તેણે કહ્યું કે પાકિસ્તાનના અન્ય ખેલાડીઓએ પણ તેની સાથે ભોજન લીધું ન હતું. જો કે દાનિશ કનેરિયાએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હક અને ફાસ્ટ બોલર શોએબ અખ્તરના વખાણ કર્યા છે. કનેરિયાના કહેવા પ્રમાણે, પાકિસ્તાનના આ બે પૂર્વ દિગ્ગજ સૈનિકોએ તેને ઘણો સાથ આપ્યો હતો. પાકિસ્તાનના આ પૂર્વ હિંદુ ક્રિકેટરે પોતાના ઈન્ટરવ્યુમાં ઘણો ભાર મૂક્યો હતો કે તેનો ધર્મ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દાનિશે કહ્યું કે, હું સનાતન અને હિન્દુ ધર્મ માટે મારો અવાજ ઉઠાવતો રહીશ.

હું સખત સનાતની છું – દાનિશ કનેરિયા

પાકિસ્તાનના પૂર્વ સ્પિન બોલર દાનિશ કનેરિયા કહ્યું કે, જો મેં ધર્મ પરિવર્તન કર્યું હોત તો આજે આ સ્થિતિમાં ન હોત. હું પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બની ગયો હોત. હું કટ્ટર સનાતની છું. હું સનાતન ધર્મને ખૂબ ચાહું છું. મારા માટે મારો ધર્મ જ સર્વસ્વ છે. મને કદાચ રોજગાર ન મળે, કદાચ મને કંઈ ન મળે, મારી પાસે ધર્મ હોય તો બધું જ છે. મને ઘણી વખત ધર્માંતરણ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ મે ધર્મ પરિવર્તન કર્યો નથી.

  • Follow us on: