- ટીમ ઈન્ડિયામાં તકની રાહ જોઈ રહેલા સરફરાઝ ખાનને આખરે ડેબ્યૂ કરવાની તક મળી
- જાડેજાની ભૂલના કારણે સરફરાઝ ખાન કારકિર્દીની પ્રથમ ઇનિંગમાં રનઆઉટ થયો
- કેપ્ટન રોહિત શર્મા પણ ગુસ્સામાં દેખાયો અને પોતાની કેપ ફેંકતો જોવા મળ્યો
ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ કરી રહેલો સરફરાઝ ખાન 62 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. રવીન્દ્ર જાડેજાના ખોટા કોલને કારણે સરફરાઝ ખાન પોતાની ટેસ્ટ ડેબ્યૂની પ્રથમ ઇનિંગમાં રનઆઉટ થયો હતો. આ જોયા બાદ કેપ્ટન રોહિત શર્મા પણ ગુસ્સો દેખાડવાથી પોતાને રોકી શક્યો નહીં. આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાજકોટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે ભારતીય ટીમમાં ડેબ્યુ કર્યું હતું. સરફરાઝ ખાનના ડેબ્યૂ બાદ પિતાની સાથે તેના તમામ ચાહકો ભાવુક થઈ ગયા હતા.
જ્યારે રોહિત શર્મા આઉટ થયો ત્યારે સરફરાઝ ખાન મેદાન પર જઈ રહ્યો હતો. તે સમયે રોહિત શર્માએ પોતે સરફરાઝ ખાનને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ તે પછી જ્યારે તેણે બેટિંગ શરૂ કરી તો એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડનો કોઈ બોલર સરફરાઝ ખાનને સદી ફટકારતા રોકી શકશે નહીં. પરંતુ ઈંગ્લેન્ડના બોલરોએ નહીં પરંતુ રવીન્દ્ર જાડેજાના ખોટા કોલથી સરફરાઝ ખાનની ઈનિંગ માત્ર 62 રન પર સમાપ્ત થઈ ગઈ અને તેને સદી ફટકારતા રહી ગયો હતો.
જાડેજાએ ખોટો કોલ આપ્યો હતો
ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ મેચમાં શાનદાર ફોર્મમાં રહેલા સરફરાઝ ખાને માત્ર 48 બોલમાં ટેસ્ટની પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. જે બાદ તે પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો હતો. સરફરાઝ ખાને અડધી સદી પૂરી કર્યા પછી પણ ઝડપી રમવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ જ્યારે જાડેજા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે જેમ્સ એન્ડરસનનો એક બોલ સામેથી રમ્યો હતો અને રનની માંગણી કરી હતી.
પરંતુ બોલને ઝડપથી વુડ તરફ જતો જોઈને જાડેજાએ રન લેવાની ના પાડી દીધી. જો કે, જાડેજાએ રન કરવાની ના પાડી ત્યાં સુધીમાં સરફરાઝ ખાને અડધી પીચ કવર કરી લીધી હતી. વુડે પણ ઝડપથી બોલ ઉપાડ્યો અને સીધો વિકેટ પર માર્યો. જેના કારણે જાડેજાની ભૂલને કારણે સરફરાઝ ખાન પોતાની વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
રોહિતે પણ ગુસ્સો વ્યક્ત કર્યો
રવિન્દ્ર જાડેજાના ખોટા કોલ પર ખુદ કેપ્ટન રોહિત શર્માએ નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે સરફરાઝ ખાન રન આઉટ થયો ત્યારે રોહિત શર્માએ ગુસ્સામાં પોતાની કેપ ઉતારી અને ડ્રેસિંગ રૂમમાં કંઈક કહ્યું. સરફરાઝ ખાનના રન આઉટ બાદ ચાહકો પણ જાડેજાના વલણથી નાખુશ દેખાયા હતા. તમને જણાવી દઈએ કે સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ શાનદાર બેટિંગ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના દરેક બોલર સામે શોટ લગાવ્યા હતા. તે કોઈપણ ખચકાટ વિના મોટા શોટ રમી રહ્યો હતો. જ્યારે સરફરાઝ ખાને પોતાની અડધી સદી ફટકારી હતી. તે પછી પણ તેણે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી.